ગાંધીનગરઃ રાજ્યમાં આજે કોવિડ-19ના નવા 1455 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 17 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4081 પર પહોંચ્યો છે. રાજ્યમાં આજે કુલ 1485 દર્દી સાજા થયા હતા. રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 91.42 ટકા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 200012 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.


રાજ્યમાં હાલ 14,695 એક્ટિવ કેસ છે, જ્યારે 200012 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 87 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,608 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,18,788 પર પહોંચી છે.

રાજ્યમાં આજે કુલ 1485 દર્દી સાજા થયા હતા અને 69,310 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 82,41,960 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 91.42 ટકા છે.