કુંભ મેળા (Kumb Mela)માંથી રાજ્યમાં પરત ફરેલા લોકો પણ કોરોના (Coronavirus) સંક્રમણથી બાકાત રહ્યા નથી. રવિવારે હરિદ્વારથી આવેલા મુસાફરોના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે પૈકી વધુ 15 મુસાફરોના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. જે તમામને સમરસ હોસ્ટેલમાં મોકલાયા હતા.


કુંભ મેળામાંથી ગુજરાત પરત ફરતા તમામ મુસાફરો માટે કોરોના ટેસ્ટ ફરજીયાત કરાયો છે. કુંભ મેળામાં ગયેલા લોકો સુપર સ્પ્રેડર (Super Spreader) ન બને તે માટે તકેદારીના ભાગરૂપે તમામ મુસાફરોના ટેસ્ટ ફરજીયાત કરાયા છે. એટલુ જ નહી તમામને 14 દિવસ ફરજીયાત હોમ ક્વોરંટાઈન કરવાના આદેશ કરાયા છે. ત્યારે શનિવારે હરિદ્વારથી આવેલા મુસાફરોના ટેસ્ટ (Corona test) કરાયા હતા. જેમાંથી 34 મુસાફરોના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા હતા. તો રવિવારે વધુ 15 મુસાફરોના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે.


નોંધનીય છે કે, ગઈકાલે કોરોનાએ તમામ રેકોર્ડ તોડી દીધાં છે. ગઈકાલે રાજ્યમાં પ્રથમ વખત 10340 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 110 લોકોનાં મૃત્યુ થયા છે તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક વધીને 5377 પર પહોંચી ગયો છે.


રાજ્યમાં ગઈકાલે 3981 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,37,545 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 61 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 61647 પર પહોંચ્યો છે. જેમાંથી 329 લોકો વેન્ટિલેટર પર અને 61318 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 83.43  ટકા છે. 


કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?


ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 27, સુરત  કોર્પોરેશનમાં 24,  રાજકોટ કોર્પોરેશન-9, વડોદરા કોર્પોરેશન-8, સુરેન્દ્રનગર 7,  ગાંધીનગર-4, સુરત-4, ભરુચ-3, જામનગર-3, જામનગર કોર્પોરેશન-3, બનાસકાંઠા-2, મહેસાણા-2, મોરબી-2, રાજકોટ-2, સાબરકાંઠા-2, વડોદરા-2, અમદાવાદ-1, અરવલ્લી-1, દેવભૂમિ દ્વારકા-1, ગાંધીનગર કોર્પોરેશન-1 અને જૂનાગઢ-ખેડામાં એક-એક કેસ સાથે કુલ 110 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. 


ક્યાં કેટલા કેસ નોંધાયા  ?


અમદાવાદ કોર્પોરેશનમાં 3641,  સુરત કોર્પોરેશનમાં 1929, રાજકોટ  કોર્પોરેશનમાં 683, સુરત-496, મહેસાણા-389,  વડોદરા કોર્પોરેશનમાં 325, જામનગર કોર્પોરેશન-234, વડોદરા-184, પાટણ-158, જામનગર-132, રાજકોટ-128, ભાવનગર કોર્પોરેશન-114, બનાસકાંઠા-112, નવસારી-104, તાપી-99, અમરેલી-98, કચ્છ-94, સુરેન્દ્રનગર-92, આણંદ-91, મહીસાગર-89, ભાવનગર-84, સાબરકાંઠા-82, ગાંધીનગર-79, પંચમહાલ-74, ગાંધીનગર કોર્પોરેશન-71, જુનાગઢ-70, દાહોદ-69, ખેડા-69, વલસાડ-61, દેવભૂમિ દ્વારકા-60,  ભરુચ-59, મોરબી-54 અને અમદાવાદમાં 53 કેસ નોંધાયા છે.