ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધરો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 470 કેસ નોંધાયા છે, જ્યારે વધુ 33 દર્દીઓના મોત થયા છે. આજે 409 દર્દીઓને સારવાર ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 21 હજારને પાર પહોંચી છે. હાલ રાજ્યમાં કુલ સંક્રમિત સંખ્યા 21044 પર પહોંચી છે અને મૃત્યુઆંક 1313 પર પહોંચ્યો છે.


આજે નવા નોંધાયેલ કેસમાં અમદાવાદમાં 331, સુરતમાં 62, વડોદરામાં 32, ગાંધીનગરમાં 8, મહેસાણા-1, ભાવનગર 3, બનાસકાંઠા 1, રાજકોટ 2, અરવલ્લી 1, સાબરકાંઠા 5, આણંદ 4, પંચમહાલ 3, પાટણ 3, કચ્છ 1, ખેડા 3, ભરૂચ 2, વલસાડા 2, જૂનાગઢ 1, નવસારી 1, અમરેલી 3 અને અન્ય રાજ્ય 1 કેસ નોંધાયો છે.

આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં વધુ 33 લોકોનાં મોત થયા છે. તેમાં અમદાવાદમાં- 27, સુરત 2, મહેસાણા, અરવલ્લી, અમરેલી અને પંચમહાલમાં 1-1 દર્દીનું મૃત્યુ થયું છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 1313 લોકોનાં મોત થયા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 14373 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 5358 એક્ટિવ કેસ છે, જેમાંથી 64 વેલ્ટીલેટર પર છે અને 5299 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધી કુલ 2 લાખ 61 હજાર 587 ટેસ્ટ કરવામાં આવ્યા છે.