રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આજે આંશિક રાહત મળી છે. આજે 968 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના વાયરસના એક્ટિવ કેસની સંખ્યા 4753 પર પહોંચી ગઈ છે. રાજ્યમાં કોરોના વાયરસના એક્ટિવ કેસ 5 હજારની નજીક પહોંચી ગયા છે. રાજ્યમાં 4747 લોકો સ્ટેબલ છે જ્યારે 6 લોકો વેન્ટીલેટર પર છે.  કોરોનાના નવા 968 કેસ નોંધાયા છે. જ્યારે એક્ટિવ કેસનો(Active Cases)  આંક 4753 પર પહોંચ્યો છે. ઓમીક્રોનનો(Omicron) પણ એક પણ કેસ નોંધાયો નથી. 


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 396, સુરત કોર્પોરેશનમાં 209,  વડોદરા   કોર્પોરેશનમાં 64 , રાજકોટ કોર્પોરેશનમાં 40,    ખેડામાં 36,  આણંદ 29,  વલસાડ 27, નવસારી 21, રાજકોટ 20, કચ્છ 17,  ગાંધીનગર કોર્પોરેશનમાં 14, સુરત 14, ભરુચ 9, ભાવનગર કોર્પોરેશન 9, અમદાવાદ 8, ગાંધીનગર 6, ગીર સોમનાથ 5, વડોદરા 5, અમરેલી 4, જૂનાગઢ 4, જૂનાગઢ કોર્પોરેશન 4, મહીસાગર 4, દેવભૂમિ દ્વારકા 3, મહેસાણા 3, મોરબી 3, તાપી 3, બનાસકાંઠા 2, જામનગર 2, જામનગર કોર્પોરેશનમાં 2, પંચમહાલમાં 2, સાબરકાંઠા 2 અને ભાવનગરમાં એક નવો કેસ નોંધાયો છે.


જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 4753  કેસ છે. જે પૈકી 6 વેન્ટીલેટર પર છે, જ્યારે 4747 નાગરિકો સ્ટેબલ છે. 8,18,896 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10120 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે વલસાડમાં   1 મોત થયું છે. 



ગુજરાત પોલીસે હેર સલૂન અને બ્યૂટી પાર્લર ને કોરોના રોકવા શું કરવા આપ્યો આદેશ ?


રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં એક જ દિવસમાં 1000થી પણ વધુ કેસ નોંધાયા છે ત્યારે કોરોનાના કેસો અટકાવવા કડક પ્રતિબંધો મૂકવામાં આવી રહ્યા છે. સરકારી કચેરીઓમાં વેક્સિનના બંને ડોઝ લેનારને જ પ્રવેશ અપાઈ રહ્યો છે ત્યારે હેર સલૂન અને બ્યુટી પાર્લરમાં 50 ટકાની ક્ષમતામાં જ ગ્રાહકોને પ્રવેશ આપવાની ગાઈડલાઈન લાગુ કરવામાં આવી છે.


ગુજરાત પોલીસના ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી છે કે ઓમિક્રોનના વધતાં પ્રભાવ વચ્ચે હેર સલૂન અને બ્યુટી પાર્લરના માલિકોએ કોવિડ ગાઈડલાઇનને ચુસ્ત પણે અમલમાં મૂકી ગ્રાહકોને તથા પોતાને સુરક્ષિત રાખવા જોઇએ. આ સાથે જ હેર સલૂન અને બ્યુટી પાર્લરના કર્મચારીઓએ રસીના બંને ડોઝ લીધેલા હોવા જોઈએ. કામ કરનારા કર્મચારીઓએ માસ્ક તથા હાથમોજાં પહેરી રાખવા પડશે તથા ગ્રાહકો માટે સેનિટાઈઝરની પણ વ્યવસ્થા ગોઠવવાની રહેશે.