દાહોદના મુવાલિયા ક્રોસિંગ પાસે પીએસપી કંપનીના મજૂરો ભરેલું ટ્રેક્ટર મજુરોને પોતાના ઘરે પરત મુકવા જઈ રહ્યું હતું. તે દરમિયાન પાછળથી આવેલું ટેન્કર ટ્રેક્ટરની સાથે ધડાકાભેર અથડાયું હતું. જેના કારણે ટ્રેક્ટરમાં બેઠેલા મજૂરો 3નાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે 15 જેટલા મજૂરોને લોકોને 108 એમ્બ્યુલન્સ દ્વારા દાહોદની ઝાયડસ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જોકે 2 મજૂરોને સારવાર મળે તે પહેલાં જ મોત નિપજ્યું હતું.
ટેન્કર વચ્ચે થયેલા ગોઝારા અકસ્માતના કારણે દાહોદના પાંચ મજૂરોએ જીવ ગુમાવ્યો હતો. અકસ્માત બાદ ટેન્કર પલટી ખાઈ જતાં ક્રેઈનની મદદ લેવામાં આવી હતી. બાંધકામમાં કામ કરતા મજૂરોને ઘર પરત મુકવા માટે ટ્રેક્ટર જઈ રહ્યું હતું તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. આ મજૂરો આસપાસના વિસ્તારમાં પોતાના ગામમાં પરત જવા માટે નીકળ્યા હતા.