ગાંધીનગર: ગુજરાતમાં કોરોના વાયરસના કેસ છેલ્લા ઘણા દિવસોથી સ્થિર થયા છે.  આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા 11794 કેસ નોંધાયા છે.  આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસોનો આંકડો 98021 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 285 લોકો વેન્ટીલેટર પર છે. 97736 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1036156 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10408 લોકોના મોત થયા છે. 


રાજ્યમાં કોરોના વાયરસના નવા 11794  કેસ નોંધાયા


ગુજરાતમાં કોરોનાના કેસમાં આજે ઘટાડો નોંધાયો છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા 11794  કેસ નોંધાયા છે.  આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 98021 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 285 લોકો વેન્ટીલેટર પર છે. 97736 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1036156 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10408 લોકોના મોત થયા છે.


બીજી તરફ આજે 21655  દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 90.53 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  33 મોત થયા. આજે 2,13,681 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 3990, વડોદરા કોર્પોરેશનમાં 1816, રાજકોટ કોર્પોરેશનમાં 716, સુરત કોર્પોરેશનમાં 511, વડોદરામાં 441, સુરતમાં 368,  ગાંધીનગર કોર્પોરેશનમાં 326,  મહેસાણા 313, પાટણ 280, રાજકોટ 266, કચ્છ 263, જામનગર કોર્પોરેશનમાં 214,ભરુચ 207, ભાવનગર કોર્પોરેશનમાં 203,  બનાસકાંઠા 191, ગાંધીનગર 161, આણંદ 151, વલસાડ 151, ખેડા 140, મોરબી 121, સાબરકાંઠા 121, નવસારી 116, સુરેન્દ્રનગર 91, જામનગર 88, અમદાવાદ 76, પંચમહાલ 75, તાપી 53, મહીસાગર 40, દાહોદ 39, જૂનાગઢ 39, જૂનાગઢ કોર્પોરેશન 33, અમરેલી 31, ગીર સોમનાથ 31, ભાવનગર 27, નર્મદા 24, દેવભૂમિ દ્વારકા 22, છોટા ઉદેપુર 16, અરવલ્લી 15, ડાંગ 12, બોટાદ 10 અને પોરબંદર 6 કેસ નોંધાયા છે.