ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં આજે ઘટાડો નોંધાયો છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા 11794  કેસ નોંધાયા છે.  આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 98021 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 285 લોકો વેન્ટીલેટર પર છે. 97736 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1036156 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10408 લોકોના મોત થયા છે.


બીજી તરફ આજે 21655  દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 90.53 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  33 મોત થયા. આજે 2,13,681 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 3990, વડોદરા કોર્પોરેશનમાં 1816, રાજકોટ કોર્પોરેશનમાં 716, સુરત કોર્પોરેશનમાં 511, વડોદરામાં 441, સુરતમાં 368,  ગાંધીનગર કોર્પોરેશનમાં 326,  મહેસાણા 313, પાટણ 280, રાજકોટ 266, કચ્છ 263, જામનગર કોર્પોરેશનમાં 214,ભરુચ 207, ભાવનગર કોર્પોરેશનમાં 203,  બનાસકાંઠા 191, ગાંધીનગર 161, આણંદ 151, વલસાડ 151, ખેડા 140, મોરબી 121, સાબરકાંઠા 121, નવસારી 116, સુરેન્દ્રનગર 91, જામનગર 88, અમદાવાદ 76, પંચમહાલ 75, તાપી 53, મહીસાગર 40, દાહોદ 39, જૂનાગઢ 39, જૂનાગઢ કોર્પોરેશન 33, અમરેલી 31, ગીર સોમનાથ 31, ભાવનગર 27, નર્મદા 24, દેવભૂમિ દ્વારકા 22, છોટા ઉદેપુર 16, અરવલ્લી 15, ડાંગ 12, બોટાદ 10 અને પોરબંદર 6 કેસ નોંધાયા છે. 


આજે કોરોનાના કારણે 33 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 7, વડોદરા કોર્પોરેશનમાં 3, રાજકોટ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, સુરત 3, રાજકોટ 2,  ભાવનગર કોર્પોરેશનમાં 4, આણંદ 2, વલસાડ 2, ખેડા 1, જામનગર 1, અમદાવાદ 1, ભાવનગર 1 અને બોટાદમાં 1  દર્દીનું કોરોનાથી મોત થયું છે.



બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 36 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 610 લોકોને બીજો ડોઝ અપાયો છે.  45 વર્ષથી વધારેની ઉંમરના 5892 લોકોને પ્રથમ અને 17992 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 26531 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 54442 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ જ રીતે 15-18 વર્ષ સુધીની ઉંમરના 41349 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. પ્રીકોશન ડોઝ 66829 લોકોને અપાયો છે.  આજે કુલ 2,13,681 લોકોનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં કુલ 9,75,98,722 લોકોને રસી અપાઈ છે.