પરીક્ષા પૂરી થયા બાદ પેપર તપાસવા માટેનો સમય રહેતો નથી. કારણ કે 20 એપ્રિલથી નવું સત્ર શરૂ થઈ રહ્યું છે. જેથી બોર્ડે તારીખોમાં ફેરફાર કરીને નવી તારીખો જાહેર કરવામાં આવી છે. જેથી શિક્ષકોને પેપર તપાસ કરવાનું અને પરિણામ તૈયાર કરવા માટે યોગ્ય સમય મળી રહેશે.
ગુજકેટની પરીક્ષા 31 માર્ચે યોજાશે
ગુજકેટની પરીક્ષા નિયત કરેલા સમયપત્રક પ્રમાણે 31 માર્ચે લેવાશે. પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ હોલટીકિટ ડાઉનલોડ કરી શકે છે. આ વર્ષે રાજ્યમાંથી 1.25 લાખ ઉમેદવારો ગુજકેટની પરીક્ષા આપશે. જેમાં ગ્રૂપ-એમાં 49 હજાર, ગ્રૂપ-બીમાં 75 હજાર અને ગ્રૂપ એબીમાંથી 374 ઉમેદવારો પરીક્ષા આપશે.