Gujarat election 2022: ભાવનગર ગ્રામ્ય વિધાનસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર રેવતસિંહ ગોહિલને હાર્ટ એટેક આવ્યો છે. એટેક આવતા રેવતસિંહ ગોહિલને હાલમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે કોંગ્રેસના ઉમેદવારને હાર્ટ એટેક આવતા સમર્થકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. તમને જણાવી દઈએ કે, ભાજપના ઉમેદવાર પરષોત્તમ સોલંકી સામે આ ચૂંટણીમાં એમની ફાઈટ છે.  રૈવતસિંહ વ્યસ્ત ગઈ કાલ રાત સુધી સભાઓ અને રેલીમાં દોડધામ કરતા હતા. અચાનક હાર્ટ એટેક આવતા ગ્રામ્ય કોંગ્રેસના સમર્થકો ચિંતામાં મુકાયા છે.


 



 ભાજપના કયા દિગ્ગજ નેતા જોડાયા કોંગ્રેસમાં


ગુજરાત ચૂંટણી પહેલા ભાજપને મોટો ફટકો લાગ્યો છે. ટિકિટ ન મળવાથી નારાજ થયેલા ભાજપના દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસ ભાજપમાં સામેલ થયા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં તેઓ કોંગ્રેસમાં સામેલ થયા. થોડા સમય પહેલા તેમણે અશોક ગેહલોત સાથે મુલાકાત કરી હતી, ત્યારથી તેમના કોંગ્રેસમાં જોડાવાની અટકળો થઈ રહી હતી. જયનારાયણ વ્યાસ સિદ્ધપુરથી ભાજપના ધારાસભ્ય રહી ચુક્યા છે.


ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ, તેમનો પુત્ર સમીર વ્યાસ પણ કોંગ્રેસમાં સામેલ થયો છે. પ્રેસ કોન્ફરન્સને સંબોધતા મલ્લિકાજુર્ન ખડગેએ કહ્યું,  હિન્દુસ્તાન ના ખૂણા ખૂણા માં અમારા કાર્યકર્તા બેઠેલા છે, ગુજરાતની જનતા ઇન્ટેલિજન્ટ છે, સૌથી વધુ સ્કીલ ગુજરાતમાં છે, બિઝનેસમાં, સાયન્સ ટેકનોલોજીમાં તમામમાં છવાયેલા છે.

પૂજ્ય મહાત્મા ગાંધીના રાજ્યમાં મહાત્મા ગાંધીને હું ગુજરાત પૂરતા સીમિત કરવા નથી માંગતો પરંતુ અમુક લોકો વારંવાર તેમનું નામ લઈને કોંગ્રેસ ને બદનામ કરે છે. 27 વર્ષ પછી પ્રાઈમ મિનિસ્ટર, જેવા અનેક મિનિસ્ટર ખુદ આવી ને ભડકાઉ ભાષણ આપવાની ફરજ પડી. મોદીએ ગુજરાત બનાવ્યું. આ પહેલા ગુજરાત બનાવવા મોરારજી દેસાઈથી લઈને ઘણા નેતા હતા આ લોકોએ કંઈ નહિ કર્યું? મોદીએ જ કર્યું ? પહેલા કોગ્રેસમાં જે સરકાર હતી, જેમને પોતાના પ્રાણ આપ્યા અને કહો છો કોંગ્રેસએ કંઈ આપ્યું નહિ આ કોમન ડાયલોગ છે. 70 વર્ષમાં કોઈએ કંઈ બનાવ્યું છે તો તે કોંગ્રેસએ બનાવ્યું છે. આ દેશને આઝાદી અપાવી એનું ચિત્ર નથી જોતા અને ફળ તો ખાઈ રહ્યા છે. આ ચૂંટણી મહત્વપૂર્ણ છે કારણ કે મોદી અને શાહ ખુદ પરેશાન છે, બીજાની મજાક કરવી, બીજા વિશે ખોટી વાતો કરવીએ ઠીક નથી


સિદ્ધપુરમાં કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાની કરી હતી અપીલ


પાટણની સિદ્ધપુર વિધાનસભા બેઠક પર તાજેતરમાં ચોંકાવનારું દ્રશ્ય જોવા મળ્યુ હતું. વામૈયા ગામે કોગ્રેસની જાહેર સભામાં ડો. જયનારણ વ્યાસ જોવા મળ્યા હતા. ડો.જય નારાયણ વ્યાસે સિદ્ધપુર કોગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને મત આપી જીતાડવા માટે અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે છે કે ભાજપના સિનિયર નેતા ડો જય નારાયણ વ્યાસે થોડા સમય અગાઉ પક્ષ સામે નારાજગી વ્યક્ત કરી રાજીનામું આપ્યું હતું.


સિદ્ધપુરમાં કોની કોની વચ્ચે છે જંગ


સિદ્ધપુરમાં ભાજપના ઉમેદવાર બળવંતસિંહ રાજપૂત, કોંગ્રેસના ચંદનજી ઠાકોર અને આમ આદમી પાર્ટીના મહેન્દ્ર રાજપૂત વચ્ચે જંગ છે. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બર અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે. 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે.