અરવલ્લી: સ્વયં પર ફાયરીંગ કરી મોતને વ્હાલુ કર્યાની ઘટના સામે આવી છે અરવલ્લી વિસ્તારમાં. ભિલોડાના મલાસામાં આર્થિક સંકડામણના કારણે આધેડે આત્મહત્યા કરી લીધી છે. મરતા પહેલા આધેડે વીડિયો બનાવ્યો હતો અને સ્યુસાઈડ નોટ પણ લખી હતી.


કોઈપણ માણસ પોતે વેપાર માટે કે અન્ય કોઈ વ્યવસાય માટે નાણાનું રોકાણ કરતા હોય છે, પરંતુ જો વેપારમાં નિષ્ફળતા મળે અથવા કોઈ વ્યક્તિ દગો કરે ત્યારે આર્થિક તંગી વર્તાતા જીવનનું અંતિમ પગલું ભરવાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. આવો જ એક કિસ્સો ભિલોડામાં સામે આવ્યો છે.ભિલોડા પાસે આવેલા મલાસાના વતની મલાસા ઠાકોર અને અરવલ્લી જિ.પં. પૂર્વ પ્રમુખના ભાઈ વિજયસિંહ ચૌહાણ ભિલોડામાં રિયલ એસ્ટેટ અને અન્ય વ્યવસાય સાથે સંકળાયેલા હતા. 


તેઓએ તાજેતરમાં ભિલોડા ખાતે 6 દુકાનોવાળું એક કોમ્પ્લેક્ષ બનાવ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી આ કોમ્પ્લેક્ષની દુકાનો વેચાતી નહોતી. આથી તેઓએ પોતાની જ દુકાનમાં સ્વયં પર ફાયરીંગ કરી મોતને વ્હાલુ કર્યું હતુ. તેમની સ્યુસાઈડ નોટ મુજબ કોઈપણ વ્યક્તિ તેમની દુકાન ખરીદવા આવે તો તેમના વિરોધીઓ ગ્રાહકોને પાછા કાઢતા હતા. આવો આક્ષેપ તેઓએ આત્મહત્યા કરતા અગાઉ પોતાના વીડિયો નિવેદનમાં જણાવ્યા હતા. તેઓએ સ્યુસાઈડ નોટમાં પણ પોતાના સાથે કોણે કોણે દગો કર્યો અને તેમની મિલકત કોને આપવી આ બધો ઉલ્લેખ કર્યો છે. 


આ સમગ્ર બાબતે મૃતકના ભાઈ દ્વારા પણ આર્થિક સંકડામણને લઈ આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું છે. જો કે સાચી હકીકત પોલીસ તપાસ બાદ ખ્યાલ આવે તેમ છે. સમગ્ર મામલે ભિલોડા પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી  વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ મૃતદેહને પીએમ માટે ખસેડાતા સમયે બે ગોળી ખુદને મારી હોવાનું જણાયું હતું.


દહેગામ તાલુકામાં દીપડાનો આતંકથી લોકો પરેશાન છે. દેહગામના દેગામના કડજોદરા ગામે દિપડો ગામજનો માટે આફત બની ગયો છે. અહીં દીપડાએ  6 લોકો પર હુમલો કરતા ઇજાગ્રસ્ત થયા છે.  છેલ્લા કેટલાક દિવસથી અહીં દીપડાના આટાફેરા વધી ગયા હતા. ગ્રામજનોએ વન વિભાગને આ મુદ્દે જાણ કરી છે. વન વિભાગની ટીમે પણ દીપડાને પકડવા માટે કવાયત હાથ ધરી છે. આ માટે પાંજરા મૂકવામાં આવ્યા છે. હુમલો કરી દિપડો એરંડાના ખેતરોમાં છુપાયો હોવાની માહિતી  ગ્રામજનો આપી હતી. દીપડાએ 6 લોકો પર હુમલો કરતા દેહગામ તાલુકાના ગામડામાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. દીપડો હજુ સુધી  વન વિભાગની ટીમની પહોંચથી દૂર હોવાથી આ પંથકના લોકો ભયના ઓથાર નીચે જીવી રહ્યાં છે.