કચ્છ: હાલમાં ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા દબાણ હટાવવાની કામગારી ચાલી રહી છે. સોમનાથી લઈને અમદાવાદના ચંડોળા તળાવમાં દબાલ હટાવવામાં આવી રહ્યા છે. આ કડીમાં હવે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા મેદાનમાં આવ્યા છે. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ મુખ્યમંત્રી ગૃહ મંત્રીને લેટર લખતા ખળભળાટ મચી ગયો છે. અબડાસામાં અધિકારીઓ ધારાસભ્યનું પણ નથી સંભાળતા હોવાનું લેટરમાં ઉલેખ કરવામાં આવ્યો છે. અબડાસામાં અધિકારી રાજ ચાલતું હોવાનો આરોપ લગાવ્યો છે. હકિકતમાં અબડાસામાં નાનામોટા દબાણો દૂર ન કરવા માટે પત્ર લખ્યો છે.
હાલ જિલ્લામાં દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે ત્યારે અબડાસામાં નાના મોટા ધંધાર્થીઓ દબાણ દૂર ન કરવા માટે મુખ્યમંત્રી અને ગૃહ મંત્રીને પત્ર લખ્યો છે. તેમણે કહ્યું કે, મહા પાલિકામાં કીમતી જમીન ઉપર દબાણ હટવામાં આવે છે તે યોગ્ય છે પંરતુ અબડાસામાં જે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે તે મહા પાલિકા કરતા જુદી છે અને કિંમતી જમીન નથી.અબડાસા બોર્ડર વિસ્તાર છે જો નાના લોકોના દબાણ તોડવામાં આવશે તો સરહદી વિસ્તારમાંથી લોકો પલાયન કરશે અને બોર્ડર ખાલી થઈ જશે.
ગુનેગારોનું દબાણ હટાવું તે યોગ્ય છે પરંતુ કોઈ વ્યક્તિ પર વર્ષો અગાઉ નાનો-મોટો કેસ થયો હોય અને હાલે કોઈ કેસ બાકી ન હોય અને કેસો પુરા થઇ ગયા હોય અને હાલે સારી રીતે સામાજિક જીવન ગુજરી રહ્યા હોય તેવા લોકોને નોટીસો આપી કે દબાણ હટાવીને માનસીક ત્રાસ આપવો યોગ્ય નથી.
મોટા ખનીજચોરો છે તેઓની ખનીજચોરી બંદ કરાવવા અમો દ્વારા અવારનવાર રજુઆતો કરવામાં આવે છે તે બંદ કરાવો અને જ્યાં મોટા મોટા બિલ્ડરો અને ભુમાફીયાઓએ દબાણ ઉપર બિલ્ડિંગ બનાવી દબાણ કર્યો છે તે જમીન ખુલી કરાવવી જરૂરી છે. મોટા મોટા ઉદ્યોગોએ અને ખુદ ફોરેસ્ટ વિભાગ દ્વારા તેમજ ફોરેસ્ટની જમીનમાં પણ ઉદ્યોગ દ્વારા મોટાપાયે દબાણ કરવામાં આવી રહ્યું છે. હોશિયાર માણસો છે તેવા લોકો તો આવી સરકારી જમીનો પાસ કરાવીને વેચી પણ નાખે છે.
ખોટી રીતે નોટીશો આપીને લોકોને માનશીક ત્રાસ ન આપવામાં આવે અને જયારે કોઈ વિકાસનું કામ કરવાનું હશે ત્યારે અમે સાથે રહીને દબાણ હટાવવા તંત્રને સાથ સહકાર આપીશું તેમજ અમુક અધિકારીઓ પોતાની કામગીરી બતાવવા માટે નાના માણસોને કનડગત કરે છે. નાના માણસોને કનડગત કરવી એ કામગીરી ન કહેવાય, અને અધિકારીઓ પણ કેટલા સાચા છે અને કેટલા ખોટા છે તે સૌ જાણે છે. અધિકારીઓ દ્વારા મારા વિસ્તારમાં જે વિકાસના કામો મંજુર થયેલા છે અને મીટીંગો થઇ ચુકી છે તેવા કામો પૂર્ણ કરવા ધ્યાન આપવામાં આવતું નથી અને ન કરવાના કામો કરવામાં આવે છે જે બાબતે મારી સખત નારાજગી છે.