Bridge collapse:ગંભીરા પુલની ગંભીર દુર્ઘટનામાં 20 લોકોએ જીવ ગુમાવ્યા બાદ હવે તંત્રને બ્રિજના લોડ ટેસ્ટની કામગીરી યાદ આવી છે. આ લોડ ટેસ્ટ અને તેની ફિટનેસ ટેસ્ટની કામગારી હાથ ધરવાના કલેક્ટરે આદેશ આપ્યાં છે. પોઈચા પાસેનો રંગસેતુ બ્રિજ ભારે વાહનો માટે બંધ કરી દેવાયો છે. આ બ્રીજ  લોડ ટેસ્ટ ન થાય ત્યાં સુધી ભારે વાહનો માટે   બ્રિજ બંધ રહેશે,  ભારે વાહનો માટે ડભોઈથી તિલકવાડા રોડ સુધી ડાયવર્ઝન અપાયું છે. પાટણ જિલ્લા રાધનપુર હાઈવે પરના ગોચનાદ બ્રિજને પણ  બંધ કરવાના આદેશ અપાયા છે. જેના પગલે ભારે વાહનોને રાધનપુર-સિનાડ-ઉણથી  અને થરા-ટોટાણા-રોડા ગામથી ઉપરાંત  વેજાવાડા-બોરતવાડા-હારીજથી પસાર થવા આદેશ અપાયા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં બ્રિજનું ચેકિંગ કરવા  પણ કલેક્ટરે આદેશ આપ્યા છે. નર્મદા કેનાલ આસપાસના તમામ બ્રિજનું ચેકિંગ કરીને ત્રણ દિવસમાં અહેવાલ તૈયાર કરવાનો અધિકારીઓને આદેશ અપાયો છે.

Continues below advertisement

નેશનલ હાઇવે પર 5 બ્રીજ પર નહિ દોડે ભારે વાહન

વલસાડમાં નેશનલ હાઈવે પરના 5 બ્રિજ ભારે વાહનો માટે બંધ કરી દેવાયા છે. કોલકતા અને તાન નદી પરના બ્રિજ ભારે વાહનો માટે બંધ કરી દેવાયા છે. બંધ કરાયેલા બ્રિજમાં વલસાડ-લીલાપોર બ્રિજ, વાપી નજીક દેગામ ખાડીનો બ્રિજ, કોકલ નદીનો બ્રિજ, ધરમપુર પાસે કરંજવેરીનો બ્રિજ અને તાન નદીનો બ્રિજનો સમાવેશ થાય છે. વાહનચાલકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે. નાનાપોંઢા નજીક વડખંભા પાર નદીના બ્રિજને સ્ટેબિલિટી ચેક સુધી બંધ રખાયો છે.ત્યારે સૌથી મોટો સવાલ એ થાય છે કે શું અત્યાર સુધી અધિકારીઓને આ જોખમી બ્રિજ નહોતા દેખાતા. જોખમી બ્રિજ હોવા છતા કેમ ભારે વાહનોની અવરજવર ચાલુ રાખવામાં આવી હતી.  શું વલસાડ પ્રશાસન પણ ગંભીરા બ્રિજ દુર્ઘટનાની રાહ જોઈને બેઠા હતા?  કે પછી માત્ર  સરકારને રાજીકરવા માટે આ પગલા લેવામાં આવી રહ્યા છે.

Continues below advertisement

શું છે સમગ્ર ઘટના

 મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો 40 વર્ષ જૂનો ગંભીરાબ્રિજ 9 જુલાઈના વહેલી સવારે 7:30 વાગ્યાની આસપાસ ધરાશાયી થઇ ગયો અને 20 લોકોની જિંદગી લેતો ગયો. આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થતા વાહનોમાં  3 ટ્રક, 1 રિક્ષા, 1 ઈકો, 1 પિકઅપ વાન થે જ 2-3 બાઇક નદીમાં ખાબક્યાં હતાં.  ટ્રક નીચે એક કાર ફણ  દબાઈ હતી. આ દુર્ઘટનામાં 20 લોકોના મોત થયા છે તો હજુ એક લાપતા છે. ઘટના બાદ તાબડતોબ રેસ્ક્યુઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દુર્ધટનાને લઇને અનેક સવાલ ઉઠી રહ્યાં છે. એક નહિ અનેક વખત આવી દુર્ઘટનામાં લોકોની જિંદગી હોમાઇ રહી છે. તો પછી કેમ બ્રિજનના બાંધકામની ગુણવત્તા પર અને સમયે સમયે તેનો ફિટનેસ ટેસ્ટ નથી થતો. આ દુર્ઘટનાને લઇને સરકારે સમિતી રચના કરી છે અને તપાસનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિસ્તૃત અને ઝીણવટપૂર્વકની ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા હતા.