અમદાવાદ: આગાહીકાર અંબાલાલ પટેલે વરસાદને લઈને નવી આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, ગુજરાતમાં ઓગસ્ટનો ચોથો રાઉન્ડ પણ ભારે વરસાદ લાવશે. આ સાથે જ તેમણે ઓગસ્ટમાં કેમ વરસાદ ઓછો રહેશે તેનુ કારણ પણ જણાવ્યું છે.  અંબાલાલ પટેલે આગાહી કરી કે, જુલાઈની સરખામણીએ ઓગસ્ટમાં વરસાદ ઓછો વરસશે.  જો કે ઓગસ્ટમાં પણ વરસાદના ભારે ઝાપટા વરસશે. બંગાળના ઉપસાગરમાંથી વેલમાર્ક લો પ્રસરે ઓગસ્ટમાં વરસાદી સિસ્ટમને ખોરવી નાંખી છે. આ ઉપરાંત પૂર્વીય દેશોમાં એક ચક્રવાતે બંગાળના ઉપસાગરનો બધો વરસાદ ખેંચી લીધો છે. આ જ કારણે  વાતાવરણમાં ભેજ ઓછો છે. ગુજરાત અને મધ્યપ્રદેશ તરફ વરસાદ ઓછો પડશે. 




હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી 9 થી 13 ઓગસ્ટ વચ્ચે અનેક વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે. અંબાલાલના આંકલન મુજબ, 9 ઓગસ્ટે વરસાદની એક સિસ્ટમ સર્જાતા ગુજરાતના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદ પડશે. જો કે આ વરસાદ પૂર લાવે તેવો નહીં હોય, રાજ્યના અનેક વિસ્તારોમાં દોઢથી બે ઇંચ જેટલો વરસાદ આ સિસ્ટમ લાવશે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આશ્લેષા નક્ષત્ર હોવાથી વરસાદ પાક માટે નુકસાનકારક છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદ પડશે.  


વરસાદને લઈ રાજ્યના હવામાન વિભાગની આગાહી


રાજ્યના વાતાવરણ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે કે  રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી.  સિસ્ટમ ન હોવાથી ભારે વરસાદની શક્યતા નહિવત છે.  રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.   દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે. માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.  સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ વરસાદ પડી શકે છે. કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી ભારે વરસાદની શક્યતા નહીંવત છે. જોકે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં ચોમાસુ 30 સપ્ટેમ્બર સુધી રહેશે, જેના કારણે રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડશે.  નવી વરસાદી સિસ્ટમ બનશે તો ભારે વરસાદ પડી શકે છે.  અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.  દક્ષિણ,ઉત્તર ગુજરાતમાં હળવાથી માધ્યમ વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં હળવા વરસાદની આગાહી છે. તેમજ દરિયાઈ કાંઠે 40 થી 45 કિમીની ગતિએ પવન ફૂંકાશે.   


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial