= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
રૂપાલાને બદલવાની માગ સાથે ક્ષત્રિય સમાજ અડગ એક બાજુ ભાજપ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે તો બીજી તરફ રૂપાલાના નિવેદનને લઇને ડેમેજ કંટ્રોલ કરવા માટે ક્ષત્રિય ભાજપ રાજનેતાને મેદાને ઉતાર્યા છે. જો કે ક્ષત્રિય સમાજ રૂપાલાને બદલે અન્ય કોઈને પણ ટિકિટ આપવાની માગ સાથે અડગ છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બપોર બાદ દિલ્લીના પ્રવાસે અમરેલીના પ્રવાસ બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્લી જવા રવાના થશે.ભાજપના સંકલ્પ પત્રની બીજી બેઠકમાં CM ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનિય છે કે દિલ્લીમાં બપોરે 3 વાગ્યે સંકલ્પ પત્રની બેઠક યોજાશે. સંકલ્પ પત્રની ભાજપની કમિટિના ભૂપેન્દ્ર પટેલ સભ્ય છે, સંકલ્પ પત્ર માટેની એક બેઠક અગાઉ થઈ ચૂકી છે
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ભાજપના આગેવાનો સાથે અમરેલીમાં CMની બૃહદ બેઠક લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપનું પ્રચાર કાર્ય પણ વેગ પકડી રહ્યું છે. આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ અમરેલીના પ્રવાસે છે. અહીં જુના માર્કેટ યાર્ડ ખાતેની હોટલમાં તેમની બેઠક યોજાશે. જેમાં ભાજપના ધારાસભ્યો અને સાંસદ સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે. બૃહદ બેઠક બાદ પ્રભાવી મતદારો સાથે મુખ્યમંત્રી સંવાદ પણ કરશે. ઉલ્લેખનિય છે કે, અમરેલી બેઠક પર ભાજપના ઉમેદવાર છે ભરત સુતરીયા લડી રહ્યાં છે તો અમરેલી બેઠક પર કોંગ્રેસના જેની ઠુંમ્મર ચૂંટણી લડશે
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત રૂપાલાના વિવાદિત નિવેદન બાદ વિરોધનો વંટોળ શમવાનું નામ લેતો નથી. ત્યારે રાજકોટમાં વોર્ડ નં-17 અને 18માં ક્ષત્રિય મતદારોની બેઠક મળી હતી. જેમાં રૂપાલાને નહીં હટાવાય તો ભાજપ વિરુદ્ધ મતદાનના શપથ લેવડાવામાં આવ્યા હતા. રાજકોટ ખાતે આશાપુરા માતાજી મંદિરે ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કાર્યકરોને ઉદ્દેશી સી.આર પાટીલની સોશલ મીડિયામાં પોસ્ટ રાજ્યમાં લોકસભાની ચૂંટણીને લઇને માહોલ જામ્યો છે ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ પણ પ્રચંડ પ્રચાર કરી રહ્યાં છે. સી,આર પાટિલ હવે સોશિયલ મીડિયા દ્વારા ભાજપનો પ્રચાર કરી રહ્યાં છે. તેમણે આજે કાર્યકરોને ઉદેશી એક પોસ્ટ કરી છે. જેમાં લખ્યુ છે કે, રાજ્યની તમામ બેઠક 5 લાખ કરતા વધુની લીડથી જીતશે. પેટાચૂંટણીથી લઈને તમામ ચૂંટણીઓમાં સંકલ્પ સાકાર ઉલ્લેખ કર્યો છે
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
બનાસકાંઠામાં ભાજપના ગોવા રબારીની હાજરીમાં કોંગ્રેસનો પ્રચાર બનાસકાંઠામાં ભાજપના ગોવા રબારીની હાજરીમાં કોંગ્રેસનો પ્રચાર કરવામાં આવ્યો અહી ...સામાજિક પ્રસંગમાં ગોવા રબારીની સામે કૉંગ્રેસના ઠાકરસી રબારીએ ગેનીબેન ઠાકોર માટે મતદાન કરવા અનુરોધ કર્યો હતો. ઠાકરસી રબારીએ .રબારી સમાજના કાર્યક્રમમાં ગેનીબેનને મત આપવા લોકોને અપીલ કરી હતી
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
AAPનો વિરોધ ચાલુ રહેશે સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડને લઈને દિલ્હીમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન પર આમ આદમી પાર્ટીના મંત્રી ગોપાલે કહ્યું છે કે, જ્યાં સુધી અમારા તમામ નેતાઓ જેલમાંથી મુક્ત નહીં થાય ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
અમારી પાસે પણ કંઈક જાદુ છે - હિમંતા બિસ્વા સરમા આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ દાવો કર્યો છે કે, 4 જૂન પછી નરેન્દ્ર મોદી દેશના પીએમ હશે. અમારી પાસે પણ કંઈક જાદુ છે. દરેક વ્યક્તિ અમને જ મત આપશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
આ ચૂંટણી પરપ્રાંતિયો અને બ્રિજવાસી વચ્ચે છે' મથુરાથી કોંગ્રેસના ઉમેદવાર મુકેશ ધનગરે બીજેપી નેતા હેમા માલિની પર કટાક્ષ કરતા કહ્યું કે આ ચૂંટણી 'પ્રવાસી' અને 'બ્રિજવાસી' વચ્ચે છે. બ્રિજના પરિવારોની આ લડાઈ છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
સંજય નિરુપમ મીડિયાને સંબોધશે કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ સંજય નિરુપમ આજે મોટી જાહેરાત કરશે. તેઓ સવારે 11:30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે. તેમના પક્ષ વિરોધી નિવેદનો અને પ્રવૃત્તિઓ માટે કોંગ્રેસે તેમને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ભાજપ મેનિફેસ્ટો કમિટીની બેઠક લોકસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી (BJP)ની મેનિફેસ્ટો કમિટીની બીજી બેઠક ગુરુવારે (4 એપ્રિલ) બપોરે 3 વાગ્યે મળશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પીએમ મોદી ચિરાગ પાસવાનના સાળા માટે પ્રચાર કરશે લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ પીએમ મોદીની પહેલી રેલી આજે બિહારમાં યોજાશે. તેઓ જમુઈમાં પ્રચાર કરશે. ચિરાગ પાસવાનના સાળા અહીંથી NDAના ઉમેદવાર છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
મમતા બેનર્જી કૂચ બિહારમાં પ્રચાર કરશે એક તરફ જ્યાં પીએમ મોદી આજે પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનું બ્યુગલ વગાડશે અને કૂચબિહારમાં રેલી કરશે તો બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ કૂચબિહારમાં પ્રચાર કરશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ગૌરવ વલ્લભે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું કોંગ્રેસ નેતા ગૌરવ વલ્લભે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કહ્યું, "કોંગ્રેસ પાર્ટી આજે જે દિશાવિહીન રીતે આગળ વધી રહી છે તેનાથી મને સહજ નથી લાગતું. હું સનાતન વિરોધી સૂત્રોચ્ચાર કરી શકતો નથી. તેથી, હું તમામ પદો અને પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપી રહ્યો છું."
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
મેરઠમાં પણ મુરાદાબાદ જેવી સ્થિતિ? મેરઠ લોકસભા સીટ પર સમાજવાદી પાર્ટી ફરી પોતાનો ઉમેદવાર બદલી શકે છે. અગાઉ પાર્ટીએ એડવોકેટ ભાનુ પ્રતાપ સિંહની ટિકિટ કાપીને અતુલ પ્રધાનને ઉમેદવાર બનાવ્યા હતા, હવે અતુલની ટિકિટ કાપવાની ચર્ચા પણ વધી રહી છે. આ અંગે અંતિમ નિર્ણય સપા પ્રમુખ અખિલેશ યાદવ લેશે. હાલમાં અતુલ પ્રધાન અને અખિલેશ યાદવ વચ્ચે બેઠક ચાલી રહી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
'અખિલેશ યાદવના નિર્ણયનો સ્વીકાર મેરઠથી ઉમેદવાર બદલવાના સમાચાર વચ્ચે અતુલ પ્રધાને કહ્યું છે કે, રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવનો નિર્ણય સ્વીકાર્ય છે. ટૂંક સમયમાં સહકર્મીઓ સાથે બેસીને વાત કરશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
'લોકો પીએમ મોદીને મત આપશે' અમરાવતીથી બીજેપી ઉમેદવાર નવનીત રાણાએ ન્યૂઝ એજન્સી ANIને કહ્યું, "હું ઘણા વર્ષોથી મારા વિસ્તારના લોકો માટે કામ કરી રહ્યો છું. મારા અને મારા મતવિસ્તાર માટે આ એક મોટો દિવસ છે." લોકો રાષ્ટ્ર નિર્માણ, વિકાસ અને રાષ્ટ્રના કલ્યાણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સીધું સમર્થન કરશે અને મત આપશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
અમિત શાહે ઇશ્વરપ્પાને દિલ્હી બોલાવ્યા કર્ણાટકના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી એસ ઈશ્વરપ્પાને ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં મળવા બોલાવ્યા છે. બંને નેતાઓ વચ્ચે આજે મુલાકાત થઈ શકે છે. ઇશ્વરપ્પાએ શિવમોગા સીટ પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે. પુત્રને ટિકિટ ન અપાતા તેઓ નારાજ હતા