અમરેલીઃ રાજ્યમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા જ નેતાઓ પક્ષ પલટાની મોસમ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન અમરેલી ભાજપમાં મોટો ભડકો થયો છે. ભાજપના દિગ્ગજ નેતા શરદ લાખાણીએ આમ આદમી પાર્ટીમાં જોડવાની કરેલી જાહેરાત બાદ સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે.


આ અંગે શરદ લાખાણીએ ફેસબુક પોસ્ટમાં લખ્યું, આવતીકાલે તા. 31-8-2021, મંગળવાર બપોરે 2 કલાકે સર્કિટ હાઉસ અમરેલી ખાતે આમ આદમી પાર્ટીના આગેવાન મહેશભાઈ સવાણી તથા અગ્રણીઓની હાજરીમાં હું આમ આદમી પાર્ટીમાં જોડાઈશ. તેમની આ પોસ્ટ બાદ પ્રદેશ ભાજપ નેતાઓ દોડતા થઈ ગયા છે.



 અમરેલી જિલ્લા પંચાયત અને જિલ્લા ભાજપનાં પૂર્વ પ્રમુખ શરદ લાખાણી છેલ્લા થોડા દિવસોથી સોશિયલ મીડિયાનાં માઘ્યમથી તેમના જ પક્ષની સરકારની નિષ્ફળતા ઉજાગર કરી રહૃાા હતા ત્યારથી જિલ્લાનાં રાજકારણમાં ભારે ચર્ચા જાગી હતી.. તેમણે ભાજપને મજબુત કરવામાં ભારે મહેનત ઉઠાવી હતી. અંદાજિત 30 વર્ષથી તેઓ ભાજપનાં કાર્યકર અને આગેવાન તરીકે કામ કરી રહૃાા છે પરંતુ છેલ્લા થોડા દિવસોથી તેમનો ભાજપ તરફનો મોહભંગ થયો હોય તેવું લાગી રહ્યું હતું.


ભારતમાં કોરોના ચેપનો પ્રકોપ ફરી વધવા લાગ્યો છે. છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં સૌથી વધુ કોરોના કેસ ભારતમાં જ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા સોમવારે સવારે લેટેસ્ટ ડેટા જાહેર કરવામાં આવ્યો હતો. મંત્રાલય અનુસાર, છેલ્લા 24 કલાકમાં 42,909 નવા કોરોના કેસ આવ્યા અને 380 કોરોના સંક્રમિતોએ પોતાનો જીવ ગુમાવ્યો. જ્યારે 24 કલાકમાં 34,763 લોકો પણ કોરોનાથી સાજા થયા છે એટલે કે ગઈકાલે 7766 એક્ટિવ કેસ વધ્યા છે. વર્લ્ડમીટર વેબસાઇટ અનુસાર ભારતમાં ગત દિવસે સૌથી વધુ કોરોના કેસ નોંધાયા હતા. અમેરિકામાં 37262, બ્રિટનમાં 33196, ઈરાનમાં 31516, જાપાનમાં કોરોનાના 22748 કેસ નોંધાયા છે. જોકે ગઈકાલે રશિયા, મેક્સિકો, ઈરાન, ઈન્ડોનેશિયામાં ભારત કરતા ઓછા મૃત્યુ થયા હતા.


પુષ્ટિમાર્ગમાં કેમ જન્માષ્ટમીના બીજા દિવસે ઉજવવામાં આવે છે નંદ મહોત્સવ ? જાણો શું છે કારણ


અન્ના હજારેનો ઉદ્ધવ સરકારને સવાલ- દારૂની દુકાનો ખૂલી શકતી હોય તો મંદિરો કેમ નહીં ?