સાવરકુંડલાઃ હાલ રાજ્યમાં લગ્ન સીઝન ચાલી રહી છે. આજે પણ સૌરાષ્ટ્રના ઘણા ગામડામાં ટ્રેકટર દ્વારા જાન જતી જોવા મળે છે. સાવરકુંડલાના વિજપડી-ઘાડલા વચ્ચે જાનમાં જતું ટ્રેકટર પલટી મારી ગયું હતું.




ચીખલીથી ઘાડલા ટ્રેકટરમાં જાન જતી વખતે સર્જાયેલા ભમ્મર ગામ નજીક સર્જાયેલા અકસ્માતમાં 8 જાનૈયાઓ ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે 45 વર્ષીય મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. 108 વડે ઇજાગ્રસ્તોને સારવાર માટે રાજુલા ખસેડવામાં આવ્યા હતા.

જાનમાં જતી મહિલાના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.