બનાસ ડેરીનો દાવો છે કે, ફ્રિજમાં રાખ્યા વિના દૂધ ન બગડે તે માટેનું પાઉચ બનાસ ડેરીના સંશોધકોએ બનાવ્યું છે. આ અમૂલ મોતી દૂધના પાઉચથી ગ્રાહકોને દૂધ બગડવાની સમસ્યાથી છૂટકારો મળશે. જેમના ઘરમાં ફ્રીઝ નતી એવાં લોકો માટે આ દૂધ આશિર્વાદરૂપ સાબિત થશે.
એ જ રીતે પર્વતીય અને દુર્ગમ વિસ્તારમાં અમૂલનું મોતી દૂધ સૈન્ય અને લોકોના ઉપયો માં આવી શકશે. પ્રવાસે જનારા પણ પોતાની સાથે આ દૂધ રાખી શકશે અને જરૂર પડશે ત્યારે તેનો ઉપયોગ કરી શકશે.
આ દૂધના 500 મિલિના પાઉચની કિંમત 20 રૂપિયા અને 200 મિલિના પાઉચની કિંમત 9 રૂપિયા છે. હાલમાં આ દૂધ જમ્મુ અને કાશ્મીર, દિલ્હી અને છત્તીસગઢમાં લોંચ કરાયું છે.