Green Hydrogen Project :ગુજરાતમાં ગ્રીન એનર્જી સેક્ટર અંગે મહત્વનો નિર્ણય લેવાયો છે, રાજ્ય સરકારે ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ માટે જમીન ફાળવવા  મંજૂરી આપી દીધી છે.


ગુજરાતમાં ગ્રીન એનર્જી સેક્ટર અંગે મહત્વનો નિર્ણય લેવાયો છે, રાજ્ય સરકારે ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ માટે જમીન ફાળવવા  મંજૂરી આપી દીધી છે.ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ અંતર્ગત 5 ખાનગી કંપનીઓને જમીન ફાળવવાનો  સરકારે  નિર્ણય કર્યો છે. ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ માટે બનાસકાંઠા અને કચ્છમાં જમીન ફાળવવા નિર્ણય લેવાયો છે.


ઉલ્લેખનિયન છે કે, આ નિર્ણય અંતર્ગત પ્રથમ તબક્કામાં 1.99 લાખ હેકટર જમીનની ફાળવણી કરવાનો  કેબિનેટમાં  નિર્ણય  લેવાયો છે. રિલાયન્સને 74750 હેકટર જમીન ફાળવવા પ્રાથમિક મંજૂરી અપાઇ છે.અદાણીને 84486 હેકટર જમીન ફાળવવા પ્રાથમિક મંજૂરી આપી છે. તો ટોરેન્ટને 18,000 હેકટર જમીન ફાળવવા પ્રાથમિક મંજૂરી અપાઇ છે. આર્સેલર મિત્તલ નીપોન સ્ટીલ ઇન્ડીયા લિમિટેડને 14,393 હેકટર જમીન ફાળવવા પ્રાથમિક મંજૂરી મળી છે.વેલસ્પનને 8000 હેકટર જમીન તો સરકાર ખાનગી કંપનીઓને 40 વર્ષના ભાડપટ્ટે જમીન ફાળવશે. રૂપિયા 15,000 પ્રતિ હેકટરના દરે જમીનની ફાળવણી કરવામાં આવશે. ભાડાની આવકમાંથી સરકારને અંદાજિત રૂ. 300 કરોડની આવકનો અંદાજ થયો છે.


Ahemdabad News: રામકથામાં ઉપસ્થિત CM ભુપેન્દ્ર પટેલે રામ મંદિર મુદે આપ્યું મોટી નિવેદન


અમદાવાદ: લાંબી પ્રતિક્ષા બાદ અયોધ્યામાં હાલ રામ મંદિર નિર્માણનું કાર્ય થઇ રહ્યું છે. 2024માં આ મંદિર તૈયાર થઇ જશે. આ મુદ્દે અમદાવાદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે મહત્વનું નિવેદન રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું કે, કેટલાય આંદોલનો પછી આપણને રામમંદિર મળનાર છે. હાલ તેનું નિર્માણ કાર્ય પૂરજોશથી ચાલી રહ્યું છે. રામમંદિર માટે કેટલા કેટલા આંદોલન કર્યા છે એ આપણને જ ખબર છે. બહુ મોટી આંદોલન અને સંઘર્ષ બાદ આપણે રામ નગરી અયોધ્યામાં રામ મંદિર બનાવી રહ્યાં છે.


ઉલ્લેખનિય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના  નિકોલમાં વિશ્વઉમિયાધામ આયોજિત રામકથામાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિતિ રહ્યાં હતા, આ અવસરે તેમણે પ્રાસંગિક સંબોધન કરતાં રામના ચરિત્રની મહતા અને અયોધ્યાના રામ મંદિરના નિર્માણ પહેલાની સંઘર્ષ ગાથાની વાત કરી હતી. ઉલ્લેખનિય છે કે, હાલ  પીએમ મોદી અને સીએમ યોગીના નેતૃત્વ હેઠળ રામમંદિરનું નિર્માણ કાર્ય થઇ રહ્યું છે. સત્તાવાર માહિતી મુજબ રામ મંદિર 2024માં ભાવિક માટે ખુલ્લુ મૂકાશે જો કે તેના નિર્માણનું કાર્ય એટલું ઝડપભેર ચાલી રહ્યું છે કે, 2024 પહેલા પણ તૈયાર થઇ શકે તેવો અનુમાન પણ સેવાઇ રહ્યો છે.


કેવું બનશે રામમંદિર


 અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરના ભક્તોની ખાસ કાળજી રાખવામાં આવશે. પહેલા માળે કુલ 14 દરવાજા હશે, જેમાં રામલલા જ્યાં બેસશે તે ગર્ભગૃહ સિવાય મંદિરમાં ભક્તોના પ્રવેશ અને બહાર નીકળવા માટે 13 દરવાજા હશે. આ દરવાજા લાકડાના હશે કે કોઈ ધાતુના હશે અને તેના પરની ડિઝાઈન કેવી હશે, તેની પણ ચર્ચા થઈ છે. આ મંદિરનો પહેલો માળ હશે જાન્યુઆરીમાં 2024માં ભક્તોના દર્શન માટે ખોલવામાં આવશે.