= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ભરૂચ બેઠક પરથી ચૈતર વસાવા લોકસભા ચૂંટણી લડશે: અરવિંદ કેજરીવાલ નેત્રંગમાં જનસભાને સંબોધતા કેજરીવાલએ મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું ભરૂચ લોકસભા માટે ચેતર વસાવા આપના ઉમેદવાર છે. ભરૂચ બેઠક પરથી ચૈતર વસાવા લોકસભા ચૂંટણી લડશે. ષડયંત્ર રચી જો ચૈતર વસાવાને જેલની બહાર ન આવવા દીધા તો તેઓ જેલમાંથી પણ ચૂંટણી લડશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ચૈતર વસાવા આદિવાસી સમાજનો સિંહ: ભગવંત માન પંજાબના સીએમ ભગવંત માને જનસભાને સંબોધતા કહ્યું, ચૈતર વસાવા આદિવાસી સમાજનો સિંહ છે. ભાજપ ક્યારેય તેને ડરાવી, ધમકાવી નહીં શકે. ચૈતર વસાવાને પિંજરામાં પુરીને ભાજપ ઘાસ નાંખશે તો નહીં ખાય. ચૈતર વસાવા પોતાનો શિકાર જાતે કરશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
આપ નેતા મનોજ સોરઠીયાએ શું કહ્યું આપના નેતા મનોજ સોરઠીયાએ કહ્યું, ચૈતર વસાવાએ ભાજપના કૌભાંડી ચિઠ્ઠાઓનો ભાંડાફોડ કર્યો એટલે આજે તેઓ જેલમાં છે. ભાજપે ચૈતર વસાવાના પરિવારને પણ બિનજરૂરી હેરાનગતિ આપી છે જે આદિવાસી સમાજ ક્યારેય ભૂલી નહિ શકે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના સમર્થકો ઉમટ્યાં નેત્રંગામાં સભા સ્થળે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના સમર્થકો ઉમટ્યા છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ગોપાલ ઈટાલીયાએ શું કહ્યું આપના નેતા ગોપાલ ઈટાલીયાએ જનસભાને સંબોધતા કહ્યું કે, આજે આ સભાના માધ્યમથી આપણે સૌ સંકલ્પ લઈએ કે આગામી લોકસભાની ચૂંટણીમાં ધારાસભ્ય ચૈતવ વસાવાને સાંસદ બનાવીશું. આપ દ્વારા હેશટેગ રિલીઝ ચૈતર વસાવા પણ કરવામાં આવ્યું છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
જ્યારે ચુંટણી આવે છે ત્યારે કેજરીવાલને ગુજરાતની યાદ આવે છેઃ પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરા અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાત મુદ્દે મુદ્દે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું, જ્યારે ચુંટણી આવે છે ત્યારે કેજરીવાલને ગુજરાતની યાદ આવે છે, ગુજરાતની પ્રજા મૂર્ખ નથી. અરવિંદ કેજરીવાલ ભ્રષ્ટાચારી નેતા છે, એમની સરકાર દિલ્હીમાં શું કરે છે સૌ કોઈ જાણે છે. એમના મંત્રીઓ જેલમાં છે, ન્યાયતંત્ર એ પણ જામીન આપવાની ના પાડી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
છોટુ વસાવાએ શું આપી પ્રતિક્રિયા દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના નર્મદા પ્રવાસને લઈ છોટુ વસાવાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું, આ લોકોના આવવાથી કંઈ થવાનું નથી. વિધાનસભાની ચૂંટણી સમયે પણ આવ્યા હતા શું ફેર પડ્યો? ચૈતરને ખોટી FIR કરીને પૂરી દીધો કેવી દલીલ કરી કહી તેમણે આમ આદમી પાર્ચી પર પ્રશ્ન ઉઠાવ્યા હતા.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ગુજરાત આવતા પહેલા અરવિંદ કેજરીવાલે શું કર્યુ ટ્વિટ અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પર લખ્યું, આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા ખૂબ જ લોકપ્રિય આદિવાસી નેતા છે. તેમને અને તેમની પત્નીને ભાજપની ગુજરાત સરકારે બનાવટી કેસમાં ઘણા દિવસોથી જેલમાં ધકેલી દીધા છે. આજે હું અને ભગવંત માન જી ગુજરાત જઈ રહ્યા છીએ. અમે તેના વિસ્તારના લોકોને મળીશું અને આવતીકાલે અમે તેને જેલમાં મળવા જઈશું.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલું ટ્વિટ અરવિંદ કેજરીવાલની નેત્રંગમાં સભાને લઈ આમ આદમી પાર્ટી દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ભરૂચ ના નેત્રંગ ખાતે જાહેરસભા જ્યાં સાબોધશે ત્યાં તૈયારીઓ પૂર્ણ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ભરૂચ ના નેત્રંગ ખાતે જાહેરસભા જ્યાં સાબોધશે ત્યાં તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. મોટી સંખ્યામાં પોલીસ ખડકી દેવામાં આવી છે. ભરૂચ-નર્મદાની 400થી વધુ પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
આપ ભરૂચની લોકસભા બેઠક પર ઉતારવા માંગે છે ઉમેદવાર આપ-કોંગ્રેસ સાથે ગઠબંધન કરી ભરૂચની લોકસભા સીટ પર પોતાનો ઉમેદવાર ઉતારવા માગે છે. લગભગ આ મામલો ફાયનલ થઈ જશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
અરવિંદ કેજરીવાલ તથા ભગવંત માનની ગુજરાત મુલાકાતની રૂપરેખા.... - રવિવારે કેજરીવાલનુંબપોરે વડોદરા એરપોર્ટ પર આગમન.
- 1-00 વાગે નેત્રંગમાં સભાસ્થળ પર પહોંચશે, જ્યાં સંબોધન કરશે.
- 7-૦૦ વાગે પ્રદેશ આગેવાનો સાથે લોકસભા ચૂંટણીની સમિક્ષા બેઠક યોજશે.
- આ પછી કેજરીવાલનું રાત્રિ રોકાણ વડોદરામાં થશે.
- 8મી જાન્યુઆરી, સોમવારનો કાર્યક્રમ.
- સવારે 11 વાગે રાજપીપળા જેલ પર ચૈતર વસાવાની મુલાકાત લેશે.
- મુલાકાત બાદ દિલ્લી જવા રવાના થશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
2022 ગુજરત વિધાનસભા ચૂંટણી વખતે કેજરીવાલ આવ્યા હતા ગુજરાત કેજરીવાલ એક વર્ષથી વધુ સમય બાદ ગુજરાતમાં કાર્યક્રમ કરશે. આ પહેલા તેઓ 2022માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં છેલ્લી વાર આવ્યા હતા. કેજરીવાલ વડોદરા પહોંચશે અને ત્યારબાદ તેઓ ભરૂચ જિલ્લાના નેત્રંગમાં સભા કરશે.