ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં ગઈકાલે 1561 નવા કેસ નોંધાયા છે અને 22  દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9855  પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં ગઈકાલે 4869 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.


રાજ્યમાં અત્યાર સુધી 7,71,860 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 29015 પર પહોંચ્યો છે. જેમાંથી 472 દર્દી વેન્ટિલેટર પર અને 28543 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.21  ટકા છે. 


રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં અત્યાર સુધીમાં હેલ્થ કેર અને ફ્રન્ટ લાઈન વર્કરમાંથી અડધા જેટલા હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કરે કોરોના રસીનો બીજો ડોઝ લીધો નથી. ગઈકાલના સરકારના આંકડા પ્રમાણે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 19,13,739 હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કરને  કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે જેમાંથી 4480ને ગઈકાલે જ પ્રથમ ડોઝ આપવામાં આવ્યા જ્યારે બીઝો ડોઝ લીધા હોય તેવા હેલ્થકેર અને ફ્રન્ટાલઈન વર્કરની સંખ્યા 10,59,522 છે જેમાંથી 5489એ ગઈકાલે જ બીજો ડોઝ લીધો હતો આમ હજુ પણ અડધા જેટલા લોકોએ કોરોના રસીનો બીજો ડોઝ લીધો નથી. નોંધનીય છે કે, રસીકરણના અભિયાનની શરૂઆત જ હેલ્થકેર અને ફ્રેન્ટલાઈન વર્કનરે રસી આપવાથી થઈ હતી તેમ છતાં હજુ પણ અડધા જેટલા લોકોએ કોરોના રસીનો બીજો ડોઝ લીધો નથી.




ક્યાં કેટલા કેસ નોંધાયા ?


અમદાવાદ કોપોરેશન 256, સુરત કોપોરેશન 172, વડોદરા કોપોરેશન 172,    વડોદરા 106,રાજકોટ કોર્પોરેશન 86,  સુરત 80,  જુનાગઢ 68, ભરુચ 47, ગીર સોમનાથ 45, અમરેલી 42, રાજોકટ 42,  જામનગર કોર્પોરેશન 41, નવસારી 32, કચ્છ 30, પંચમહાલ 29, આણંદ 25, ખેડા 25, વલસાડ 25, મહેસાણા 24,  જૂનાગઢ કોર્પોરેશન 22, સાબરકાંઠા 20, બનાસકાંઠા 19, જામનગર 19, ભાવનગર 15, અરવલ્લી 14, પાટણ 14,  ભાવનગર કોર્પોરેશન 13, દેવભૂમિ દ્વારકા 11,  ગાંધીનગર કોર્પોરેશન 11, પોરબંદર 11, દાહોદ 10, મહીસાગર 10, અમદાવાદ 6, ગાંધીનગર 6, નર્મદા 4, મોરબી 3, તાપી 3, બોટાદ 1,  છોટા ઉદેપુર 1, સુરેન્દ્રનગર 1 અને  ડાંગમાં 0 કેસ સાથે કુલ 1561 નવા કેસ નોંધાયા છે.


ક્યાં કેટલા મોત થયા ?


અમદાવાદ કોપોરેશન 5, સુરત કોપોરેશન 2, વડોદરા કોપોરેશન 2,    વડોદરા 1,રાજકોટ કોર્પોરેશન 1,   સુરત 1,  જુનાગઢ 1, ભરુચ 0, ગીર સોમનાથ 1, અમરેલી 0, રાજોકટ 1,  જામનગર કોર્પોરેશન 2, નવસારી 0, કચ્છ 0, પંચમહાલ 1, આણંદ 0, ખેડા 0, વલસાડ 0, મહેસાણા 1,  જૂનાગઢ કોર્પોરેશન 0, સાબરકાંઠા 0, બનાસકાંઠા 1, જામનગર 0, ભાવનગર 1, અરવલ્લી 0, પાટણ 0,  ભાવનગર કોર્પોરેશન 0, દેવભૂમિ દ્વારકા 1,  ગાંધીનગર કોર્પોરેશન 0, પોરબંદર 0, દાહોદ 0, મહીસાગર 0, અમદાવાદ 0, ગાંધીનગર 0, નર્મદા 0, મોરબી 0, તાપી 0, બોટાદ 0,  છોટા ઉદેપુર 0, સુરેન્દ્રનગર 0 અને  ડાંગમાં  0  મોત  સાથે કુલ 22  મોત નોંધાયા છે.


રાજ્યમાં ગઈકાલે કુલ 1,96,793 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે, રાજ્યમાં કોવિડ 19થી સાજા થવાના દરમાં સતત વધારો થઈ રહ્યો છે.  રાજયમાં સાજા થવાનો દર  95.21 ટકા છે.