ઊંઝાના ભાજપના ધારાસભ્ય આશાબહેનના આજે સિદ્ધપુર ખાતે અંતિમ સંસ્કાર કરાશે. રવિવારે તેમનું મલ્ટી ઓર્ગન ફેઇલ થતાં નિધન થયું હતું. તેના નિધનથી સમગ્ર ઊંઝા સહિત રાજકિય વર્તુળમાં શોકનો માહોલ છે. 


ઊંઝાના ભાજપના ધારાસભ્ય આશાબહેનના આજે સિદ્ધપુર ખાતે અંતિમ સંસ્કાર કરાશે. રવિવારે તેમનું મલ્ટી ઓર્ગન ફેઇલ થતાં નિધન થયું હતું. તેમના નિધનના પગલે સમગ્ર ઊંઝામાં શોકનો માહોલ છે તેમજ ઊંઝાના વેપારીઓએ આજે સવ્યંભુ બંધ પાળ્યું છે. ઊંઝા APMC પણ સપ્તાહનો પહેલો દિવસ હોવા છતાં સંપૂર્ણ બંધ રહેશે. ઊંઝાથી આશાબેનના પાર્થિવદેહને તેમના વતન વિસોળ લઈ જવાશે અને સિદ્ધપુર ખાતે  તેમના  આશાબેનના અંતિમ સંસ્કાર કરાશે. અંતિમવિધિ માટે સિદ્ધપુરના સરસ્વતી મુક્તિધામમાં જરુરી વ્યવસ્થાઓ પણ ઉભી કરવામા આવી છે. આજે સવારે ઊંઝાથી આશાબેનના પાર્થિવ દેહને તેમના વતન વિશોળ લઈ જવાશે. ત્યાંથી અંતિમવિધિ માટે સિદ્ધપુર લઈ જવામા આવશે.


આશાબહેનના ડેન્ગ્યુનો રિપોર્ટ આવતા તેમની તબિયત વધુ ખરાબ થતાં તેમને અમદાવાદ ઝાયડસમાં સારવાર માટે દાખલ કરાયા હતા. જો કે ડેન્ગ્યુના કારણે સ્થિતિ વધુ ખરાબ થતાં તેમની બોડીના મલ્ટીઓર્ગન ફેલ થઇ ગયા હતા. જેના કારણે રવિવારે તેમનું નિધન થઇ ગયું. ભાજપના આશાસ્પદ મહિલા ધારાસભ્યના નિધનથી રાજકિય વર્તુળ સહિત સમગ્ર ઊંઝામાં પણ શોકમગ્ન માહોલ છે. ઊંઝા APMCમાં અંતિમ દર્શન માટે રખાયેલા પાર્થિવ દેહના મોટી સંખ્યામાં લોકોએ અંતિમ દર્શન કર્યા હતા.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના દુખદ નિધન પર સંવેદનના વ્યક્ત કરતા તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી. સિદ્ધપુર મુક્તિધામમાં તેના અંતિમ સંસ્કાર કરવાના હોવાથી મોટી સંખ્યામાં લોકો આવવાની શક્યતાને જોતા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો


Kashi Vishwanath Corridor: PM મોદી આજે જે કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન કરી રહ્યાં છે, તેની વિશેષતા શું છે જાણો



 Kashi Vishwanath Corridor: PM મોદીનો બનારસને લઈને સૌથી મોટો સંકલ્પ પૂર્ણ, આજે કાશી વિશ્વનાથ કોરિડોરનું કરશે ઉદ્ઘાટન, જાણો શું સંપૂર્ણ કાર્યક્રમ


Petrol Diesel Rate Today 13 December 2021: જાહેર થઇ પેટ્રોલ ડિઝલની નવી કિંમત, જાણો આપના શહેરમાં શું છે રેટ


Omicron: દેશમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના 5 નવા કેસ, આ રાજ્યોમાં મળ્યા સંક્રમિત દર્દીઓ, કુલ કેસની સંખ્યા થઈ 38