= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
વિશ્વ ઉમિયાધામ પહોચ્યા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી બાબા બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી વિશ્વ ઉમિયાધામ પહોચ્યા છે. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિરનું શિલાપૂજન કરશે. આ ઉપરાંત બાબા વિશ્વઉમિયાધામ ખાતે મા ઉમિયાની આરતી અને પૂજા કરશે. શિલાપૂજન અને પુજા બાદ બાબા દિવ્યવાણીનો લાભ આપશે. બાબા વિશ્વના સૌથી ઊંચામાં ઉચા મા ઉમિયાના મંદિરના નિર્માણ કાર્યનું નિરિક્ષણ કરશે.વિશ્વ ઉમિયાધામમાં બાબાનુ સ્વાગત કરાયુ હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ધીરેન્દ્ર શાસ્ત્રીએ અંબાજી માતાના દર્શન કર્યા બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ અંબાજી પહોંચીને માં અંબાના દર્શન કર્યા છે, અંબાજીના દર્શન કરીને બાબાએ માતાજીના ચરણોમાં શીશ ઝૂકાવ્યુ હતુ. બાબા સવારે હેલિકૉપ્ટર મારફતે અંબાજી પહોંચ્યા હતા, હવે બાબા અમદાવાદ પરત ફરશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ધીરેન્દ્ર શાસ્ત્રી અંબાજીના શરણે બાબા બાગેશ્વર આચાર્ચ ધીરેન્દ્ર શાસ્ત્રી અંબાજી પહોંચી ચૂક્યા છે, ધીરેન્દ્ર શાસ્ત્રીએ હેલિકૉપ્ટર મારફતે અંબાજી પહોંચ્યા છે, અમદાવાદથી નીકળીને બાબા દાંતા થઇને અંબાજી પહોંચ્યા છે, અહીં હવે થોડીવારમાં માતાજીના ચરણોમાં માથુ નમાવશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
બાબા બાગેશ્વર અમદાવાદ પહોંચ્યા બાગેશ્વર ધામના આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી અત્યારે ગુજરાતના પ્રવાસે છે, આજે બાબાનો ગુજરાતમાં ચોથો દિવસ છે, અહીં ચાર શહેરોમાં દિવ્ય દરબાર યોજી રહ્યાં છે, બાબા સુરતથી નીકળી અમદાવાદ અને હવે અંબાજી માતાજીના દર્શને નીકળશે
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
આજનો ધીરેન્દ્ર શાસ્ત્રીનો કાર્યક્રમ આજે સવારે સુરતથી બાબા અમદાવાદ પહોંચ્યા છે, હવે બાગેશ્વર મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રી શક્તિપીઠ અંબાજીમાં માતા અંબાજીના આશીર્વાદ લેવા પહોંચશે. બાબા હેલિકૉપ્ટર મારફતે અંબાજી રવાના થશે. બાબા સુરતથી અમદાવાદ 8 વાગે આવી પહોંચ્યા છે. સવારે 10.30એ અમદાવાદથી દાંતા જવા રવાના થશે, સવારે 11.30 એ દાંતા પહોચશે. આ પછી 12.15એ બાબા અબાજી માતાજીના દર્શન કરશે, બાદમાં બપોરે 1 વાગે ઇસ્કોન અંબે વેલીમાં વિશ્રામ કરશે, 3 વાગે અંબાજીથી અમદાવાદ આવવા રવાના થશે. અંબાજીથી વિશ્વ ઉમિયાધામમા માંતા ઉમિયાના દર્શન કરશે. આ પછી સાંજે 7 વાગે રાઘવ ફાર્મમાં બાબા હાજરી આપશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
આયોજનને લઇને હતો સંશય ઉલ્લેખનીય છે કે સુરત બાદ 29 અને 30 મેના રોજ અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે. ભરાવાનો છે. ચાણક્યપુરીના આયોજકો અને પોલીસ સામ-સામે આવી ગયા બાદ કાર્યક્રમના સ્થળમાં ફેરફાર કરાય તેવી સંભાવના છે. આ અગાઉ આયોજકો દિવ્ય દરબાર ચાણક્યપુરીમાં યોજવા માટે અડગ હતા. કાર્યક્રમને લઇને પાસની પણ વહેંચણી કરી દેવામાં આવી હતી. પરંતુ પોલીસ આ કાર્યક્રમને મંજૂરી આપવા તૈયાર નહોતી. આખરે આયોજકોને પોલીસ સામે ઝૂકવું પડ્યું હતું અને બાબાનો દરબાર ચાણક્યપુરીમાં નહી પરંતુ ઓગણજમાં યોજાય તેવી શક્યતા છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
બાબાનો દરબાર પ્રમુખ સ્વામી નગરમાં યોજાઇ શકે છે અમદાવાદઃ અમદાવાદમા બાબા બાગેશ્વર સરકારના ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમ મામલે મોટા સમાચાર આવ્યા છે. ચાણક્યપુરીમાં યોજાનારા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર હવે ઓગણજ સ્થિત પ્રમુખ સ્વામી નગરમાં યોજાય તેવી શક્યતા છે. વાસ્તવમાં ચાણક્યપુરીમાં બાબાનો દરબાર યોજવાની પોલીસ મંજૂરી આપે તેવી સંભાવના ઓછી છે. સમર્થકો સામે જગ્યા નાની પડતી હોવાના કારણે પોલીસ કાર્યક્રમને મંજૂરી આપવાની વિરોધમાં છે. દરબારમાં 2 લાખ લોકો આવશે તેવો આયોજકો દાવો કરી રહ્યા છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
આયોજકોએ કરી સંપૂર્ણ તૈયારીઓ આ અગાઉ આયોજકો દિવ્ય દરબાર ચાણક્યપુરીમાં યોજવા માટે અડગ હતા. કાર્યક્રમને લઇને પાસની પણ વહેંચણી કરી દેવામાં આવી હતી. પરંતુ પોલીસ આ કાર્યક્રમને મંજૂરી આપવા તૈયાર નહોતી. આખરે આયોજકોને પોલીસ સામે ઝૂકવું પડ્યું હતું અને બાબાનો દરબાર ચાણક્યપુરીમાં નહી પરંતુ ઓગણજમાં યોજાય તેવી શક્યતા છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
બાબાનું મોટુ નિવેદન સુરત શહેરમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો આજે દિવ્યા દરબાર યોજાવાનો છે. સુરતના લીંબાયત સ્થિત નીલગીરી ગ્રાઉન્ડમાં આ દિવ્ય દરબાર ભરાશે. તે પહેલા સુરતમા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પત્રકારો સાથે વાત કરતા બાબાએ કહ્યું કે, ગુજરાતમાં આવી ખુબ આનંદ થયો. વિશ્વમાં સનાતન ધર્મનો પ્રચાર-પ્રસાર કરવાનો છે. ગુજરાતમાં મને મારો પરિવાર મળ્યો. હું કોઈ રાજકિય પાર્ટીમાં નથી,હુ બજરંગબલી પાર્ટીથી છું. તમામ પાર્ટીના લોકો અમારા શિષ્ય છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
આયોજકો અને પોલીસ સજ્જ ઉલ્લેખનીય છે કે સુરત બાદ 29 અને 30 મેના રોજ અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે. ભરાવાનો છે. ચાણક્યપુરીના આયોજકો અને પોલીસ સામ-સામે આવી ગયા બાદ કાર્યક્રમના સ્થળમાં ફેરફાર કરાય તેવી સંભાવના છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
અમદાવાદમા યોજાશે બાબાનો દરબાર અમદાવાદઃ અમદાવાદમા બાબા બાગેશ્વર સરકારના ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમ મામલે મોટા સમાચાર આવ્યા છે. ચાણક્યપુરીમાં યોજાનારા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર હવે ઓગણજ સ્થિત પ્રમુખ સ્વામી નગરમાં યોજાય તેવી શક્યતા છે. વાસ્તવમાં ચાણક્યપુરીમાં બાબાનો દરબાર યોજવાની પોલીસ મંજૂરી આપે તેવી સંભાવના ઓછી છે. સમર્થકો સામે જગ્યા નાની પડતી હોવાના કારણે પોલીસ કાર્યક્રમને મંજૂરી આપવાની વિરોધમાં છે. દરબારમાં 2 લાખ લોકો આવશે તેવો આયોજકો દાવો કરી રહ્યા છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ઝૂંડાલ ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર આજે ઝૂંડાલ ખાતે આવેલા રાઘવ ફાર્મ એન્ડ પાર્ટી પ્લોટમાં સાંજના સાડા પાંચથી સાડા સાત વાગ્યા સુધી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર યોજાશે. ગુરૂ વંદના મંચ તરફથી આયોજિત બાબાના આ દરબારમાં ગુજરાતભરના સાધુ- સંતો અને કથાકારોને આમંત્રિત કરવામાં આવ્યા છે. ગાંધીનગરમાં યોજાનારા દરબારમાં 15000 હજારથી વધુ સાધુ- સંતો અને લાકોની સંખ્યામાં ભક્તો ઉમટશે. બાબાના દરબારને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે યોજાનારા બાબાના દરબારમાં અનેક રાજકીય સામાજિક આગેવાનો હાજર રહે તેવી પણ શક્યતા છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ગાંધીનગરમાં પણ યોજાશે બાબા બાગેશ્વરનો દરબાર સુરત બાદ ગાંધીનગરમાં બાબા બાગેશ્વરનો દરબાર યોજાશે. બાગેશ્વર ધામના આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી હવે ગુજરાતમાં પણ પગ જમાવી રહ્યાં છે. સુરતમાં બે દિવસીય દરબાર યોજ્યા બાદ આજે બાબા પાટનગર ગાંધીનગરમાં બાબા દરબાર યોજશે.