Banaskantha News:  બનાસકાંઠાના ધાનેરામાં 54 ગામ ચૌધરી સમાજમાં સમાજ સુધારણા અને સમુહ લગ્ન બાબતે બેઠક યોજાઈ હતી. જેમાં ધાનેરા તાલુકામાં આંજણા સમાજના યુવાનોને દાઢી નહીં રાખવા ફરમાન કરવામાં આવ્યું છે. ઉપરાંત દાઢી રાખનારને 51 હજારના દંડની કરાઈ જોગવાઈ છે.



ધાનેરાની ત્રિશી અને ચોવીસી સમાજના આગેવાનોએ અને યુવાનોની મિટિંગમાં સમાજમાં પ્રથમ સમૂહ લગ્ન કરવાનું આયોજન કરાયું. મરણ પ્રસંગમાં વ્યસનને તિલાંજલિ આપવી, નહીંતર એક લાખનો દંડ કરવામાં આવશે. આ ઉપરાંત ભોજન પ્રસંગમાં પૌષ્ટિક ભોજન બનાવવું અને પીરસવા માટે ભાડૂતી માણસ ન લાવવા અપીલ કરવામાં આવી. લગ્ન પ્રસંગે ડીજે પર પ્રતિબંધ મૂકવો, જન્મદિવસે કેક પર મૂકવો પ્રતિબંધ, લગ્ન પ્રસંગમાં ફટાકડા લિમિટમાં ફોડવા અને પત્રિકા સાદી છપાવવા ઠરાવ કરાયો છે.  વિવિધ 23 જેટલા સુધારા કરી સમાજ સુધારણા માટે બેઠક યોજાઈ હતી.


અમદાવાદ પોલીસ કિરણ પટેલને શ્રીનગરથી લઈ આજે અમદાવાદ પહોંચશે. સિંધુ ભવન રોડ પર સ્થિત 15 કરોડનો બંગલો પચાવી પાડવાની કેસમાં ગુનો નોંધાયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચ જમ્મુ પહોંચી છે, કિરણ પટેલ જમ્મુની જેલમાં બંધ છે. ટ્રાન્સફર વોરંટથી કિરણ પટેલની ધરપકડ કરવામાં આવી છે. કિરણ પટેલ અને તેની પત્ની સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે.


ક્રાઇમબ્રાંચે શ્રીનગરથી મહાઠગ કિરણ પટેલની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી છે. જેને રોડ માર્ગ લાવવામાં આવી રહ્યો છે અને પોલીસ સોમવાર સાંજ સુધીમાં અમદાવાદ પહોંચશે. જે કેસમાં રિમાન્ડ માટે મંગળવારે સાંજે અથવા બુધવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પ્રધાનમંત્રી કાર્યાલયના એડીશનલ કમિશનર તરીકે ઓળખ આપીને મહાઠગ કિરણ પટેલે સિધુ ભવન રોડ પર આવેલો જગદીશ ચાવડાનો નીલકઠ બંગલો 15 કરોડનાં ખરીદવાનું કહીને  બંગલો પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો. જે અંગે તેની પત્ની માલિની અને તેના વિરૂદ્વ ગુનો નોધાયો હતો.  જો કે કિરણ પટેલ ખોટી ઓળખ આપીને ઝેડ પ્લસ સિક્યોરીટી લેવાના કેસમાં  શ્રીનગર પોલીસની કસ્ટડીમાં હોવાથી  અમદાવાદ ક્રાઇમબ્રાંચે તેની એક ટીમ તેની ધરપકડ કરવા માટે શનિવારે  શ્રીનગર પહોંચી હતી. જ્યાં જરૂરી કાર્યવાહી પૂર્ણ થતા રવિવારે કિરણ પટેલની કસ્ટડી મળતા પોલીસની ટીમ શ્રીનગરથી રોડ માર્ગે રવાના થઇ છે. અંદાજે ૩૬ કલાકની મુસાફરી બાદ તે કિરણ પટેલને સોમવારે સાંજ સુધીમાં અમદાવાદ લાવશે.