પાલનપુર: અમીરગઢના ઇકબાલગઢ હાઈવે પર ત્રિપલ અકસ્માત સર્જાયો છે. ઇકબાલગઢ હાઈવે પર મમતા હોટલ પાસે આ ગમખ્વાર અકસ્માત થયો હતો. કાર, લકઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે 10થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.


આ ગંભીરમાં અકસ્માત માં ચાર લોકોના મોત થયા છે, જ્યારે 10થી વધુ ઘાયલ થયા છે. આ અકસ્માતમાં ઈજાગ્રસ્તોને 108ની મદદથી સારવાર અર્થે પાલનપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતા અમીરગઢ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.