ભાવનગરઃ આજે અમદાવાદ પછી ભાવનગર કોર્પોરેશનના નવા મેયર અને ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓની જાહેરાત કરવામાં આવી છે. ભાવનગરના મેયર તરીકે કીર્તિબેન દાણીધારીયાના નામની જાહેરાત કરવામાં આવી છે. જોકે, મેયરના નામની જાહેરાત સાથે જ ભાવનગરમાં ભડકો થયો છે. 


ભાવનગર મેયરમાં જેમનું નામ ચાલતું હતું તે વર્ષાબા પરમારને મેયર ના બનાવાતા વર્ષાબા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. વર્ષાબાનો આક્ષેપ છે કે, જીતુ વાઘણીના ઈશારે મારું નામ કપાયું. આ બેઠક સામાન્ય મહિલા માટે હતી, પરંતુ બક્ષી પંચને મેયર બનાવી મારી સાથે અન્યાય થયો. હું આગામી દિવસોમાં રાજીનામું આપીશ.


મેયરનું નામ જાહેર થતા વર્ષાબા પરમાર રડી પડ્યા હતા. જનરલ સીટ છે તેમાં બક્ષી પંચની વરણી થતા નારાજગી દર્શાવી હતી.