ભાવનગરઃ સૌરાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે ભાવનગર જિલ્લામાં કોરોનાની મહામારીના કારણે ત્રણ તાલુકાના માર્કેટીંગ યાર્ડ બંધ કરી દેવામાં આવ્યા છે. જિલ્લાના મહુવા માર્કેટીંગ યાર્ડ, તળાજા માર્કેટીંગ યાર્ડ અને ભાવનગર માર્કેટીંગ બંધ કરી દેવામાં આવ્યા છે. શાકભાજી સિવાય એક પણ જણસની હરાજી નહીં થાય.


આગામી તારીખ 3 ઓગસ્ટ સુધી માર્કેટીંગ યાર્ડ બંધ રહેશે. મહુવા માર્કેટીંગ યાર્ડ જિલ્લાનું સૌથી મોટું માર્કેટીંગ યાર્ડ છે, જે ડુંગળીનું પીઠું ગણવામાં આવે છે.