માંડવીઃ કચ્છમાં યુવકે પોતાની અને 3 બાળકોની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. માંડવીના જખણીયા ગામમાં એક જ પરિવારના 4 સભ્યોની હત્યાને કારણે હાહાકાર મચી ગયો છે. જોકે, હત્યારો પતિ હાલ તો ફરાર થઈ ગયો છે. ઘટનાની જાણ થતાં એસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.


આ અંગેની મળતી વિગતો પ્રમાણે માંડવી તાલુકાના જખણીયા ગામે આરોપી જખુભાઈ ઉર્ફે શીવજી પાચાણે તીક્ષ્ણ હથિયારના ઘા મારીને ત્રણેય સંતાનોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. જ્યારે પત્નીને ઝેર આપી દીધું હતું. પરિવારના ચારેય સભ્યોની હત્યા પછી આરોપી ફરાર થઈ ગયો હતો. જોકે, હત્યા કેમ કરવામાં આવી તે હજુ જાણી શકાયું નથી. પોલીસ તપાસ પછી હત્યાનું કારણ જાણવા મળી શકે છે.

આરોપી પત્ની ભાવનાબેન, ત્રણ દીકરીઓ ધુપ્તી(ઉ.વ.10), કીંજલ (ઉં.વ.5) અને ધર્મિષ્ટા (ઉં.વ. 2)ની હત્યા કરીને ફરાર થઈ ગયો છે.