CM Bhupendra Patel Junagadh Visit: ઐતિહાસિક અને આધ્યાત્મિક નગરી જૂનાગઢ (Junagadh) ની શાનમાં વધુ એક યશકલગી ઉમેરાઈ છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) આજે નરસૈયાની નગરીની મુલાકાત લીધી હતી અને જિલ્લાવાસીઓને કુલ ₹215 Crore ના વિકાસકાર્યોની ભેટ આપી હતી. ગરવા ગિરનારના સાનિધ્યમાં યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત 'વિકાસની રાજનીતિ' ના માર્ગે આગળ વધી રહ્યું છે.

આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીના હસ્તે ₹143.67 Crore ના ખર્ચે તૈયાર થયેલા 18 જેટલા પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં સૌથી મુખ્ય આકર્ષણ ₹68 Crore ના ખર્ચે નવીનીકરણ પામેલું 'નરસિંહ મહેતા સરોવર' (Narsinh Mehta Sarovar) છે, જે હવે શહેરનું નવું નજરાણું બની ગયું છે. આ ઉપરાંત, ભવિષ્યમાં ₹71.98 Crore ના ખર્ચે નિર્મિત થનાર ઇન્ડોર સ્ટેડિયમ અને નવા બ્રિજ પ્રોજેક્ટ્સ સહિત અન્ય 8 કામોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાનના 'નાનામાં નાના માણસના ઉત્કર્ષ' ના વિચારને સાર્થક કરતા એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન થયું હતું. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા મધુરમ વિસ્તારમાં ₹2.19 Crore ના ખર્ચે 'હોકર્સ ઝોન' (Hawkers Zone) તૈયાર કરવામાં આવ્યો છે. આ સુવિધાને કારણે હવે 157 જેટલા નાના ફેરીયાઓને સન્માનજનક રીતે રોજગારી મળી રહેશે અને ટ્રાફિકની સમસ્યા પણ હળવી થશે.

Continues below advertisement
Continues below advertisement

આ કાર્યક્રમમાં એક અત્યંત ભાવુક અને ગૌરવપૂર્ણ ક્ષણ પણ જોવા મળી હતી. જૂનાગઢના પ્રખ્યાત ઢોલક વાદક હાજીભાઈ કાસમભાઇ મીર, જેઓ લોકમુખે 'હાજી રમકડું' તરીકે જાણીતા છે, તેમને ભારત સરકાર દ્વારા 'પદ્મશ્રી' (Padma Shri) એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે. આ સિદ્ધિ બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરમાં તેમનું શાલ ઓઢાડીને વિશેષ બહુમાન કર્યું હતું.

જૂનાગઢ શહેરની સાથે જિલ્લાના અન્ય તાલુકાઓને પણ વિકાસના ફળ મળ્યા છે. કેશોદ (Keshod) ખાતે ₹10.12 Crore ના ખર્ચે તૈયાર થયેલું આધુનિક મોડલ ફાયર સ્ટેશન અને વંથલી (Vanthali) માં ₹4.25 Crore ના ખર્ચે 25 બેડની સુવિધા ધરાવતું સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ ઉપરાંત, અમૃત 2.0 યોજના હેઠળ ₹7.35 Crore ના પાણી વિતરણ પ્રોજેક્ટ્સનું પણ લોકાર્પણ થયું હતું.

પોતાના સંબોધનમાં મુખ્યમંત્રીએ રાજ્યના વિકાસનો ચિતાર રજૂ કરતા જણાવ્યું હતું કે, શહેરી વિકાસ બજેટ ₹585 Crore થી વધીને હવે ₹30,000 Crore સુધી પહોંચ્યું છે. અંતમાં, તેમણે નાગરિકોને ગ્લોબલ વોર્મિંગ સામે લડવા 'એક પેડ મા કે નામ' અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરવા, સ્વચ્છતા જાળવવા અને ખેડૂતોને રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક કૃષિ (Natural Farming) અપનાવવા ખાસ ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.