સાબરકાંઠા જિલ્લામાં મામલતદાર, નાયબ મામલતદાર, તલાટી સહિતના આવશ્યક સેવાના અધિકારીઓ સાથે પોલીસ દ્વારા ગેરવર્તણૂંક કરતાં જિલ્લા કલેક્ટર દ્વારા સાબરકાંઠા જિલ્લાના એસપીને પત્ર લખ્યો છે. આ ઉપરાંત અધિક મુખ્ય સચિવને આ બાબતે ઈમેઈલ દ્વારા જાણ કરવામાં આવી છે જેના કારણે સાબરકાંઠા જિલ્લામાં અધિકારીઓમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
જિલ્લા કલેક્ટરે પત્રમાં આઠ જેટલી ઘટનાઓના ઉદાહરણનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ ફરિયાદ કરાતાં પોલીસની કાર્યવાહી સામે સવાલો ઉઠી રહ્યાં છે. પોલીસ વડાના સુચનોનું પણ પાલન નહીં થતું હોવાનો પત્રમાં કલેક્ટરેરોષ વ્યક્ત કર્યો હતો.