Loksabha Election 2024:લોકસભાની ચૂંટણી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને ગઠબંધન સાથે લડે તેવા  સંકેત મળી રહ્યાં છે. ખાસ કરીને ભરૂચ અને ભાવનગરની બેઠક પર બંનેના ગઠબંધનની શક્યતા જોવાઇ રહી છે.


લોકસભાની ચૂંટણીને લઇને દરેક રાજકિય પક્ષ સક્રિય બન્યો છે. લોકસભાની ચૂંટણી જીતવા માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગુજરાતમાં ગઠબંધન કરે તેવી શકયતા જોવાઇ રહી છે. સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ ભરૂચ અને ભાવનગર બેઠક પર બંને પક્ષ સયુક્ત રીતે ચૂંટણી લડે તેવી શકયતા જોવા મળી રહી છે.  ભરૂચ લોકસભા બેઠકથી ચૈતર વસાવા લડી શકે છે. ચૈતર વસવા આ ગઠબંધનના ઉમેદવાર બને તેવી ચર્ચાએ જોર પકક્યું છે.


ભાવનગર બેઠક પણ કૉંગ્રેસ AAP માટે છોડે તેવી શક્યતા પણ સેવાઇ રહી છે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મુમતાઝ એહમદ પટેલના વિરોધ વચ્ચે પણ કૉંગ્રેસ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરી શકે છે. જો કે આ મુદે મુમતાઝ પટેલે પ્રતિક્રિયા આપવાથી ઈન્કાર કર્યો છે. આ મુદો દિલ્લીમાં યોજાયેલી બેઠકમાં ચર્ચાયા હોવાની ચર્ચા વચ્ચે બંને પક્ષના ગઠબંધનની શક્યતા લગભગ પ્રબળ જોવા મળી રહી છે. ટૂંકમાં ગુજરાતની બે બેઠક પર  ભાવનગર અને ભરૂચની બેઠક આપ માટે કોંગ્રેસ છોડવાની તૈયારી બતાવી છે.  જ્યારે અન્ય 24 બેઠક પર કોંગ્રેસ ચૂંટણી લડશે. ભાવનગર બેઠકથી AAP  પોતાના ઉમેદવાર ઉતારશે.


તો બીજી તરફકોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની વચ્ચે દિલ્લીમાં બેઠક વહેંચણીને લઇને 3-4ના ફોર્મૂલા પર મોહર લાગી શકે છે. આવી સ્થિતિમાં એ જાણીએ તે આ ફોર્મૂલા પર બંને પાર્ટી કેટલી હિટ છે.


આમ આદમી પાર્ટી (AAP) એક બાજુ પોતાના આપ બળે જ ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યું છે. તો બીજી તરફ દિલ્લીમાં કોંગ્રેસ સાથેના  ગઠબંધનનો ફોર્મૂલા પણ નક્કી થઇ રહ્યો છે.  જો કે હજું સુધી તેના વિશે કોઇ સતાવાર નિવેદન સામે નથી આવ્યું.


સૂત્રો મુજબ  દિલ્લીમાં આમ આદમી પાર્ટીએ 4-3નો ફોર્મૂલા આપ્યો છે. એટલે કે 4 સીટ પર આમ આદમીપાર્ટી અને 3 સીટ પર કોંગ્રેસ ચૂંટણી લડશે. જો કે કોંગ્રેસ 4 સીટ માંગી રહી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ ફોર્મૂલા તો તૈયાર થઇ ગયો છે પરંતુ કોંગ્રેસની વધુ એક સીટની માંગણીને કારણે મુદ્દો વિચારણાધિન હોય તેવા સંકેત મળી રહ્યાં છે.