દ્વારકાઃ ગુજરાત કોંગ્રેસની ચિંતન શિબિરનો આજે બીજો દિવસ છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે દ્વારકા આવી પહોંચ્યા છે. તેમનું દ્વારકા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમનું મણિયારા રાસ દ્વારા સ્વાગત કરાયું હતું. ગુજરાત કોંગ્રેસના આગેવાનોને આગામી ચૂંટણી અંગે માર્ગદર્શન આપશે. સવારે 11 વાગ્યા આસપાસ રાહુલ ગાંધી દ્વારકા  આવશે. દ્વારકાધીશના દર્શન કર્યા બાદ રાહુલ ગાંધી ચિંતન શિબિરમાં પહોંચશે.


3 સ્થળોએ રાહુલ ગાંધીનું ભાતીગળ સંસ્કૃતિથી સ્વાગત કરાશે. બપોરે 1 વાગ્યા આસપાસ રાહુલ ગાંધી ચિંતન શિબિરમાં કરશે સંબોધન. ચિંતન શિબિરમાં કોંગ્રેસના આગેવાનો વિવિધ મુદ્દે કરશે મંથન. આગેવાનો તરફથી મળેલા સૂચનોને આજે નેતાઓ આપશે આખરી ઓપ.