ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 570 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 3 લોકોના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4357 પર પહોંચ્યો છે.


આ જિલ્લામાં નોંધાયા સૌથી ઓછા કેસ

રાજ્યમાં આજે ડાંગ, મહીસાગર, નવસારી અને પોરબંદર જિલ્લામાં કોરોનાના એકપણ કેસ નોંધાયા નહોતા. જ્યારે તાપી, છોટા ઉદેપુર અને બોટાદમાં 1-1 કેસ નોંધાયા હતા. જ્યારે દેવભૂમિ દ્વારકા, ભાવનગર, બનાસકાંઠા અને અરવલ્લીમાં 2-2 કેસ નોંધાયા હતા.

આજે કેટલા દર્દી થયા સાજા

રાજ્યમાં આજે કુલ 737 દર્દી સાજા થયા હતા. રાજ્યમાં સાજા થવાનો દર 95.51 ટકા છે. રાજ્યના જુદા-જુદા જિલ્લામાં આજની તારીખે 4,74,210 વ્યકિતઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.