આ જિલ્લામાં નોંધાયા સૌથી ઓછા કેસ
રાજ્યમાં આજે ડાંગ, મહીસાગર, નવસારી અને પોરબંદર જિલ્લામાં કોરોનાના એકપણ કેસ નોંધાયા નહોતા. જ્યારે તાપી, છોટા ઉદેપુર અને બોટાદમાં 1-1 કેસ નોંધાયા હતા. જ્યારે દેવભૂમિ દ્વારકા, ભાવનગર, બનાસકાંઠા અને અરવલ્લીમાં 2-2 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 737 દર્દી સાજા થયા હતા. રાજ્યમાં સાજા થવાનો દર 95.51 ટકા છે. રાજ્યના જુદા-જુદા જિલ્લામાં આજની તારીખે 4,74,210 વ્યકિતઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.