ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ચાર મહિનામાં બાદ એક દિવસમાં 600થી ઓછા કેસ નોંધાયા છે. ત્યારે કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ વધી છે. રાજ્યમાં આજે 792 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી 2,42,164 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.


રિકવરી રેટ 95.44 ટકા છે. રાજ્યમાં મૃત્યુદરમાં પણ ઘટાડો આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 4 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 4354 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 7226 એક્ટિવ કેસ છે, રાજ્યમાં હાલ 56 દર્દી વેન્ટીલેટર પર છે અને 7170 લોકો સ્ટેબલ છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 583 નવા કેસ સાથે કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 2,53,744 પર પહોંચી છે. રાજ્યના જુદા-જુદા જિલ્લામાં આજની તારીખે 4,77,229 વ્યકિતઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

&nbsp