ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 298 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ1 ના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4388 પર પહોંચ્યો છે.


આ જિલ્લામાં નોંધાયા સૌથી ઓછા કેસ

રાજ્યમાં આજે ભાવનગર, ભાવનગર કોર્પોરેશ, મહેસાણા, નવસારી અને સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના એકપણ કેસ નોંધાયા નહોતા. જ્યારે અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, પંચમહાલ, પોરબંદરતાપી અને વલસાડમાં 1-1 કેસ નોંધાયા હતા.

આજે કેટલા દર્દી થયા સાજા

ગુજરાતમાં અત્યાર સુધી 3,51,904 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણની શરુ કરવામાં આવી હતી. આજે રાજ્યભરમાં 406 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રિકવરી રેટ 97.05 ટકા છે.