આ જિલ્લામાં નોંધાયા સૌથી ઓછા કેસ
રાજ્યમાં આજે અરવલ્લી, ભરૂચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, નર્મદા, પંચમહાલ, પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના એકપણ કેસ નોંધાયા નહોતા. જ્યારે મોરબી, મહિસાગર, જૂનાગઢ કોર્પોરેશન, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં માત્ર 1-1 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા
ગુજરાતમાં અત્યાર સુધી 5,55,179 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણની શરુ કરવામાં આવી હતી. આજે રાજ્યભરમાં 355 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રિકવરી રેટ 97.43 ટકા છે.