Coronavirus: રાજ્યમાં આજે 851 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત, સાજા થવાનો દર 95.10 ટકા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 09 Jan 2021 10:10 PM (IST)
રાજ્યમાં અત્યાર સુધી કુલ 2,51,273 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચુક્યા છે. તેમાંથી 2,38,965 લોકો આ બિમારીમાંથી બહાર આવ્યા છે.
પ્રતિકાત્મક તસવીર
ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સાથે સાજા થનારા ર્દદીઓની સંખ્યા પણ વધી છે. રાજ્યમાં આજે 851 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી 2,38,965 લોકો કોરોને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં રિકવરી રેટ સતત વધી રહ્યો છે અને મત્યુ દરમાં પણ સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં હાલ રિકવરી રેટ 95.10 ટકા છે. હાલમાં 7968 એક્ટિવ કેસ છે અને 7909 લોકો સ્ટેબલ છે. છેલ્લા 24 કલાકમાં કેટલા કેસ નોંધાયા રાજ્યમાં અત્યાર સુધી કુલ 2,51,273 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચુક્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 675 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 5 લોકોના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 4340 પર પહોંચ્યો છે.