ગાંધીનગર: કોરોના વાયરસની મહમારીના પગલે આ વર્ષે શ્રાવણ અને ભાદરવા માસ દરમિયાન રાજયમાં થતાં લોકમેળા નહીં યોજાય. કેંદ્ર સરકારે મહામારીના પગલે ભીડ થાય તેવા તહેવારો ઉજવણી કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. ત્યારે કેંદ્રની ગાઈડલાઈન્સને ધ્યાન પર રાખી આ વર્ષે રાજય સરકાર સૌરાષ્ટ્ર સહિત રાજયના અન્ય વિસ્તારોમાં યોજાતા લોકમેળાને મંજૂરી નહીં આપે.


ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં ખાસ કરી રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, મોરબી સહિતના શહેરોમાં લોકમેળાનું આયોજન થાય છે. સાતમ આઠમ નોમના તહેવાર દિવસે યોજાતા લોકમેળામાં લાખોની સંખ્યામાં લોકો સામેલ થતા હોય છે.