COVID-19: અમદાવાદમાં કોરોના વધવાની ભીતિ, રવિવારે 5 નવા કેસ નોંધાયા, દક્ષિણ ભારતથી આવેલા લોકો સંક્રમિત

ગુજરાતમાં દિવસે દિવસે કોરોનાથી સ્થિતિ ગંભીર બની રહી છે, હાલમાં જ સાઉથ ઇન્ડિયાથી ટ્રાવેલ કરીને આવેલા લોકો કોરોનાથી સંક્રમિત થઇ રહ્યાં હોવાનું સામે આવી રહ્યું છે

Continues below advertisement

COVID-19 Updates Today: ગુજરાતમાં દિવસે દિવસે કોરોનાથી સ્થિતિ ગંભીર બની રહી છે, હાલમાં જ સાઉથ ઇન્ડિયાથી ટ્રાવેલ કરીને આવેલા લોકો કોરોનાથી સંક્રમિત થઇ રહ્યાં હોવાનું સામે આવી રહ્યું છે. અમદાવાદમાં કોરોનાના કેસો વધવાની પુરેપુરી સંભાવના છે. શનિવાર અને રવિવારે કેસોમાં વધારો જોવા મળ્યો છે. રવિવારે વધુ 5 દર્દીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. હાલ શહેરમાં કોરોનાથી સંક્રમિત થયાનો આંકડો 35એ પહોંચ્યો છે. 

Continues below advertisement

ગુજરાતમાં કોરોનાથી સ્થિતિ વિકટ બની રહી છે, અમદાવાદમાં કોરોનાના કેસોમાં સતત ઉછાળો આવી રહ્યાં છે, હજુ પણ સ્થિતિ વધુ ખરાબ થવાની સંભાવના છે. રવિવારે શહેરમાં વધુ 5 કેસ નોંધાયા છે. બે પુરુષ અને ત્રણ મહિલાઓ સાથે હવે શહેરમાં એક્ટિવ કેસોની સંખ્યા 35 પર પહોંચી છે. શહેરમાં બોડકદેવ, નારણપુરા ખાડીયા અને દરિયાપુર વિસ્તારમાં આ નવા કોરોનાના કેસો નોંધાયા છે. બે દર્દીઓની ટ્રાવેલિંગ હિસ્ટ્રી બેંગ્લોરની હોવાની માહિતી સામે આવી છે. હાલ બે લોકો હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે, તો 33 લોકોને હૉમ આઇસોલેટ કરવામાં આવ્યા છે. છેલ્લા બે દિવસમાં કોરોનાના 16 કેસ નોંધાયા છે. શનિવારે 11 અને રવિવારે 5 કેસ પોઝિટિવ સામે આવ્યા છે. 

શિયાળો આવતાં જ કેમ વધવા લાગે છે કોરોના કેસ?  

શિયાળો આવતાની સાથે જ કોરોના ફરી એકવાર ઝડપથી વધવા લાગ્યો છે. કોરોનાનું નવું સ્વરૂપ વિશ્વ માટે ચિંતાનો વિષય બની ગયું છે. ભારતમાં પણ થોડા દિવસોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. દેશમાં કોવિડ 19નો ખતરો ફરી એકવાર વધી રહ્યો છે. અત્યાર સુધીમાં દેશના 11 રાજ્યો કોરોનાના નવા પ્રકાર JN.1 થી પ્રભાવિત થયા છે. આવી સ્થિતિમાં, સૌથી મોટો પ્રશ્ન એ છે કે શિયાળો આવતાની સાથે જ કોરોનાના કેસ કેમ વધવા લાગે છે. શું કોવિડ 19 વાયરસ માટે ઠંડુ હવામાન યોગ્ય છે? આવો જાણીએ નિષ્ણાતો પાસેથી...

માત્ર શિયાળામાં જ કોરોના કેસ કેમ વધે છે?

કોરોનાના વધતા કેસોએ ફરી એકવાર તમામ રાજ્યોને એલર્ટ મોડ પર મૂકી દીધા છે. આ વખતે પણ નવા વેરિઅન્ટને કારણે જીવનું જોખમ વધારે છે. આવી સ્થિતિમાં દર વખતે શિયાળામાં કોવિડ 19ના નવા પ્રકારો શા માટે દેખાવા લાગે છે તે અંગે સવાલો ઉઠવા સ્વાભાવિક છે. આખરે શિયાળામાં કોરોના પગ કેમ ફેલાવે છે? આ અંગે નિષ્ણાંતોનું કહેવું છે કે શિયાળામાં શ્વસનતંત્રના ચેપમાં વધારો થાય છે. આ સિઝનમાં ઈન્ફલ્યુએન્ઝાના કેસ વધુ જોવા મળે છે. જ્યારે ફ્લૂનો ચેપ લાગે છે, ત્યારે ઉધરસ, શરદી અને તાવની સમસ્યા થાય છે. આવી સ્થિતિમાં, વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં જવું પડે છે અને તેમનો કોવિડ ટેસ્ટ પણ કરવામાં આવે છે. વધુ ટેસ્ટને કારણે કેસો પ્રકાશમાં આવે છે. વાયરસ હંમેશા હાજર હોવાથી, જ્યારે પરીક્ષણ કરવામાં આવે ત્યારે કેસ વધશે. આ કારણોસર શિયાળામાં કોવિડના કેસમાં વધારો થાય છે. આ સમયે, નવા પ્રકારોના આગમનને કારણે કેસ પણ વધી શકે છે.

શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે

શિયાળાની ઋતુમાં લોકો ઘણી વખત અનેક ચેપનો ભોગ બને છે. જેના કારણે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. જેના કારણે ચેપ લાગવો સામાન્ય બની જાય છે અને વધુને વધુ ટેસ્ટ કરવામાં આવે છે. જેના કારણે કોરોનાના કેસ પણ વધી રહ્યા છે.

કોવિડનો નવો વેરીઅન્ટ કેટલા રાજ્યોમાં પહોંચ્યો

Covid JN.1 ઝડપથી ફેલાઈ રહ્યો છે. કેરળ બાદ હવે તે 11 રાજ્યોમાં પહોંચી ગયો છે. જેમાં કર્ણાટક, તમિલનાડુ, મહારાષ્ટ્ર, ગોવા, પુડુચેરી, ગુજરાત, તેલંગાણા, પંજાબ, દિલ્હી અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં, આ રાજ્યોમાં હાઈ એલર્ટ છે અને લોકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી રહી છે. આ સાથે તેમને કોવિડના નિયમોનું પાલન કરવાનું કહેવામાં આવી રહ્યું છે.

Disclaimer: આ આર્ટિકલમાં બતાવેલી રીત, પદ્ધતિ અને સૂચનનો અમલ કરતા પહેલા ડોક્ટર કે સંબંધિત એક્સપર્ટની સલાહ લો.

 

Continues below advertisement
Sponsored Links by Taboola