ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લામાં પણ બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી છે. ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા, કોડીનારના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરુ થયો છે. વાવાઝોડાને લઈ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. ગીર સોમનાથમાં દરિયાનું રૌદ્ર સ્વરુપ જોવા મળી રહ્યું છે.  માઢવાડ ગામે  દરિયાઈ મોજાની થપાટથી 6 મકાનો ધરાશાયી થયા છે. 




ગીર સોમનાથના  માઢવાડ બંદરે દરિયો તોફાની બન્યો છે.  દરિયો તોફાની બનતા દરિયાઈ મોજાની થપાટથી 6 મકાનો ધરાશાયી થયા છે.   જ્યારે અન્ય 23 મકાનો જે દરિયાકાંઠે આવેલા છે તેમને તંત્ર દ્વારા ખાલી કરવી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.  તંત્ર દ્વારા 160 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ગીર સોમનાથ જિલ્લામાં દરિયો તોફાની બન્યો છે.  


પોરબંદરથી માત્ર 310 કિલોમીટર દૂર


બિપરજોય વાવાઝોડું પોરબંદરથી માત્ર 310 કિલોમીટર દૂર છે. વાવાઝોડાના ખતરાને લઈને સૌરાષ્ટ્ર-કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.  બિપરજોય વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડાની અસરના કારણે સૌરાષ્ટ્રના દરિયા કાંઠે ભારે પવન ફૂંકાઇ રહ્યો છે.


વાવાઝોડાને લઈ અમરેલી શહેર સહીત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ


બિપરજોય વાવાઝોડું ઝડપી ગતિથી ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડાના નવા ટ્રેક અનુસાર વાવાઝોડુ બિપરજોય ફક્ત કચ્છ જ નહી પરંતુ રાજ્યના અન્ય ત્રણ જિલ્લાને પણ ઘમરોળશે. કચ્છ, દ્વારકા, પોરબંદર વાવાઝોડાની ઝપેટમાં આવશે. વાવાઝોડું જેમ-જેમ નજીક આવી રહ્યું છે ત્યારે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ શરુ થયો છે. અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. અમરેલી જિલ્લામાં વરસાદ શરુ થયો છે. 


અમરેલી જિલ્લાના વાતાવરણમાં બિપોરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે.  અમરેલી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની શરૂઆત થઈ છે. અમરેલી, ધારી અને ખાંભા પંથકના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શરૂઆત થઈ છે. 


ગીર જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદ


ધારીના જીરા, ડાભાળી, માધુપુર, સરસિયા તેમજ ગીર જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  ખાંભા પંથકના ભાડ અને વાકિયા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે.  અમરેલી શહેર સહીત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર 3 નંબરનુ સિગ્નલ લગાવવામાં આવ્યું છે.


ત્રણ જિલ્લામાં વાવાઝોડાથી સૌથી વધુ અસર


ત્રણ જિલ્લામાં વાવાઝોડાથી સૌથી વધુ અસર જોવા મળશે. જામનગર અને મોરબી જિલ્લામાં પણ વાવાઝોડાની ભયાનક અસર જોવા મળશે. કંડલા પોર્ટ, ઓખા અને નવલખીમાં તેની અસર થશે.  બિપરજોય વાવાઝોડું પોરબંદરથી માત્ર 310 કિલોમીટર દૂર છે. વાવાઝોડાના ખતરાને લઈને સૌરાષ્ટ્ર-કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.