Cyclone Biparjoy Live: વાવાઝોડાના સંકટ પર PM મોદીએ CM ભૂપેંદ્ર પટેલ સાથે કરી વાત, તંત્રની સજ્જતા અંગે વિગતો મેળવી

બિપરજોય વાવાઝોડું ઝડપી ગતિથી ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. બિપરજોય વાવાઝોડું પોરબંદરથી 310 કિલોમીટર દૂર છે.

gujarati.abplive.com Last Updated: 12 Jun 2023 11:06 PM

બ્રેકગ્રાઉન્ડ

Cyclone Biparjoy : બિપરજોય વાવાઝોડું ઝડપી ગતિથી ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. બિપરજોય વાવાઝોડું પોરબંદરથી 310 કિલોમીટર દૂર છે.  વાવાઝોડાના નવા ટ્રેક અનુસાર વાવાઝોડુ બિપરજોય ફક્ત કચ્છ જ...More

વડાપ્રધાન નરેંદ્ર મોદીએ  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે.  બિપરજોય વાવાઝોડાની સ્થિતિ તેમજ તંત્રની સજ્જતા અંગે વિગતો મેળવી છે.  આપત્તિની આ સ્થિતિમાં ગુજરાતને શક્ય તમામ મદદ પુરી પાડવાની ખાતરી આપી છે.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરી માહિતી આપી છે.