અમદાવાદઃ તૌકતે વાવાઝોડાએ ગુજરાતને ઘમરોળવાનું શરૂ કરી દીધું છે.  વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના અનેક જગ્યાએ તારાજીના દ્રશ્યો સર્જાયા છે, તો બીજી તરફ ધરતીપુત્રોને પડ્યા પર પાટું જેવો ઘાટ થયો છે. હાલ કેરીની સીઝન ચાલી રહી છે ત્યારે ગીર સોમનાથમાં અનેક વૃક્ષો ધરાશાયી થઇ હતા. વાવાઝોડાના કારણે કેસર કેરીના બગીચાઓને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. કેસર કેરીનો પાક બરબાદ થયો હતો.


વલસાડ પંથકમાં કેરીની ખેતી મુખ્ય છે અને ખેડૂતો કેરી થકી થતી આવક પરજ નિર્ભર છે ત્યારે વાવાઝોડાને લઈને કેરીના પાક ને ખૂબજ નુકસાન થયું છે. અલગ અલગ જગ્યા એ ભારે પવન ને લઈને કેરી ઝાડ પરથી ખરી  પડી હતી. હાફૂસ અને કેસરનો જે પાછલો ફાલ છે એને ભારે નુકસાન થયું છે.


 આ ઉપરાંત ભરૂચમાં કેળ સહિત અનેક પાકને નુકસાન થયું છે. વાલિયા તાલુકાના કેટલાક ગામોમાં  કેળ અને પપૈયાના ઉભા પાક જમીનદોસ્ત થયા છે. જ્યારે વલસાડમાં કેરી સહિતના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે.





હવામાન વિભાગે આજે અમદાવાદ તેમજ ગાંધીનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. શહેરમાં 50 થી 60 કિમી ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આવતીકાલે વાવાઝોડાનું સંકટ ઘટી જશે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, ભાવનગર, રાજકોટ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ રહેશે.


ગુજરાતના કયા જિલ્લામાં વરસાદ પડી શકે છે?


૧૮ મે: ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દીવ, સુરેન્દ્રનગર, બોટાદ, જુનાગઢ, રાજકોટ, અમદાવાદ, આણંદ,ખેડા, વલસાડ, નવસારી, સુરત, ભરૃચ, દમણ, દાદરા નગર હવેલી, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, પોરબંદર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર,


૧૯ મે: અમદાવાદ, ગાંધીનગર આણંદ, ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, ગીર સોમનાથ, દીવ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી, મહીસાગર, ખેડા, સુરત, ભરૃચ, વડોદરા.


Bhavnagar: એક મહિનામાં બ્રાહ્મણ પરિવારના 4-4 લોકોનાં મોત, બે યુવાન વિધવા પૂત્રવધુ પર હવે 3 માસૂમ બાળકોની જવાબદારી