બનાસકાંઠા: દિયોદરના કોતરવાડા નજીક પસાર થતી નર્મદા કેનાલમાંથી યુવક-યુવતીની લાશ મળી આવી છે. કેનાલમાં મૂર્તદેહ દેખાતા સ્થાનિક લોકોએ ફાયર વિભાગને જાણ કરતાં ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી હતી અને બન્નેના મૃતદેહ બહાર કાઢ્યા હતા. દિયોદર પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. બંને પ્રેમી પંખીડાઓ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મૃતક યુવકનું નામ રાજુભા કલ્યાણસિંહ રાઠોડ છે અને તેમની ઉંમર આશરે 28 વર્ષ માનવામાં આવી રહી છે. આ ઉપરાંત મૃતક રાજુભા પરણિત હોવાની પણ વાત સામે આવી છે. તો બીજી તરફ મૃતક યુવતીનું નામ કોમલબેન ભૂપતસિંહ છે અને તેમની ઉંમ આશરે 23 વર્ષની છે અને તે અપરણિત છે. બન્ને  મુંડેઠા ગામના વતની હોવાની વાત સામે આવી છે.


યુવકે પરિણીતા સાથે મિત્રતા કેળવી, બ્લેકમેઇલ કરી અઢી વર્ષ સુધી આચર્યું દુષ્કર્મ


આણંદમાં વિધર્મી યુવકે પરિણીતા સાથે મિત્રતા કરી અઢી વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, આણંદમાં વિધર્મી યુવકે પરિણીતા પર અઢી વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઇ હતી. શહેરમાં નોકરી કરતી પરિણીતાનો પીછો કરી એકલતાનો લાભ લઈ મિત્રતા કેળવી હતી. પરિણીતાએ મિત્રતામાં કરેલી ચેટ પતિને બતાવવાની અને વાયરલ કરવાની ધમકી આપી આરોપી બ્લેકમેઇલ કરતો હતો.


મરજી વિરૂદ્ધ અઢી વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું


ફરિયાદમાં જણાવ્યા અનુસાર, વિધર્મી યુવકે પરિણીતાને બ્લેકમેઇલ કરી પરિણીતાને હોટલમાં લઈ જઈ અવારનવાર તેની મરજી વિરૂદ્ધ અઢી વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું. પરિણીતાની ફરિયાદને આધારે શહેર પોલીસે આરોપી સાહિલ રફીક વ્હોરા વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.


મિત્રો સાથે પોળોના જંગલમાં ફરવા ગયેલા યુવકનું નદીમાં ડૂબી જવાથી મોત


વિજયનગરના પોળોમાં ફરવા આવેલા એક યુવાનનું મોત થયું છે. આણંદથી નવ મિત્રો ઇકો લઈને પોળોમાં ફરવા આવ્યા હતા.   પોળોમાં દરગાહ નજીક નદીમાં પાચ મિત્રો ન્હાવા પડયા હતા. આ દરમિયાન અરસીલ વોરા નામના યુવકનું ડૂબી જવાથી મોત હતું. ઘટનાની જાણ થતા વિજયનગર પોલીસ તેમજ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોચી હતા. વિજયનગર પોલીસ સ્ટેશનના GRD ના જવાને મૃત યુવાન બહાર કાઢ્યો હતો. પોલીસે વિજયનગર સરકારી હોસ્પીટલમાં લાશને પીએમ માટે ખસેડી છે.