ઇસુદાન ગઢવી સહિતના આપના કાર્યકરો પેપરલીક કાંડને લઈને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલને આવેદન પત્ર આપવા ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ પહોંચ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. દરમિયાન કમલમના પ્રાંગણમાં આપ અને ભાજપની મહિલા કાર્યકરો વચ્ચે  ઝપાઝપી થઇ હતી.  આ ઘટના બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યું છે. 


અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરી કહ્યું, ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તા પર બર્બરતાપૂર્ણ હુમલો ખૂબ જ નિંદનીય છે. જનતાના હકના અવાજને આ રીતે લાકડી-દંડાઓ અથવા તાનાશાહીથી ન દબાવી શકાય.



ગોપાલ ઈટાલિયા, પ્રવીણ રામ, મનોજ સોરઠિયા સહિતના કાર્યકરોએ રામધૂન બોલાવીને કમલમના પ્રાંગણમાં દેખાવો કર્યા હતા. ઇસુદાન ગઢવીએ કહ્યું કે ભાજપે મને ફસાવવાની ચાલ રમી કરી નિમ્ન કક્ષાની રાજનીતિ કરી છે. હિંમત હોય તો સામી છાતીએ લડવાનો ઈસુદાન ગઢવીએ ભાજપને પડકાર ફેંક્યો હતો.


દરમિયાન આપના નેતા ઈસુદાન ગઢવી પર ભાજપની મહિલા કાર્યકર્તા શ્રદ્ધા રાજપૂતે છેડતીનો આરોપ લગાવ્યો હતો. ઈસુદાન ગઢવી નશાની હાલતમાં આવ્યા હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો. ઈસુદાન ગઢવીની પોલીસે અટકાયત કરી હતી.


ભાજપના કાર્યકરોએ આરોપ લગાવ્યો હતો કે આપના કાર્યકરોએ કમલમનો ગેટ તોડીને સિક્યોરિટી ચેમ્બરમાં તોડફોડ કરી હતી.  પોસ્ટર્સના દંડાથી આપના કાર્યકરોએ ભાજપના કાર્યકરો પર હુમલો કર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. હુમલામાં ભાજપના પાંચ કાર્યકરો પણ ઈજાગ્રસ્ત થયા હોવાનો દાવો કરવામાં આવ્યો હત. જ્યારે આપ પાર્ટીએ ભાજપના છેડતીના આરોપોને ફગાવ્યા હતા. ઇસુદાન નશાની હાલતમાં ન હોવાની વાત કરી હતી.


Alert: 1 જાન્યુઆરીથી આ બેંકમાં 10 હજાર રૂપિયાથી વધારે જમા કરાવવા પર આપવો પડશે ચાર્જ, કેશ વિડ્રોલ પણ થશે મોંઘુ


 


 


 


ગુજરાતના આ નાના ગામડામાં જર્મનીના યુવકે રશિયાની યુવતી સાથે હિન્દુ વિધિથી કર્યા લગ્ન, જાનૈયા બન્યા ગુજરાતીઓ, જાણો વિગતે


 


ઓમિક્રૉનના ભય વચ્ચે ક્રિસમસ સમયે જ આ મોટા શહેરમાં ટોળુ ભેગુ થવા પર લાદ્યો પ્રતિબંધ, બીજા શેના પર ફરમાવાઇ મનાઇ, જાણો વિગતે