હાલ કોરોના સંક્રમણને કારણે અનલોકમાં ઘણી છૂટછાટ મળી ગઈ છે ત્યારે પ્રવાસ રસિકો અને દીવ વાસીઓને લઈને સૌથી મોટો સમાચાર સામે આવ્યા છે. હવે દીવમાં અવર-જવર માટે ઈ-પાસની જનજટમાંથી છૂટકારો મળી ગયો છે.


પ્રવાસ રસિકો અને દીવ વાસીઓને લઈને સૌથી મોટો સમાચાર સામે આવ્યા છે. હવે દીવમાં અવર-જવર માટે ઈ-પાસની જનજટમાંથી છૂટકારો મળી ગયો છે. દીવ-દમણ અને સેલવાસમાં અનલોકમાં પણ અવર-જવર માટે ઓનલાઈન ઈ-પાસ કઢાવતો પડતો હતો.

અનલોકમાં પણ ઈ-પાસ કઢાવવો પડતો હતો જેના કારણે પ્રવાસિયો અને અન્ય લોકો પણ દીવમાં આવવાનું ટાળતાં હતાં. આખરે પ્રશાસને ઈ-પાસને રદ્દ કર્યો જેને લઈ દીવમાં લોકોની અવર-જવર શરૂ થઈ ગઈ હતી.