બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશરના કારણે ગુજરાતમાં ક્યારથી પડશે ધોધમાર વરસાદ ? ક્યા બે વિસ્તારો પર છે ખતરો ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 26 Aug 2020 01:01 PM (IST)
બંગાળની ખાડીમાં ઉદભવેલા વેલમાર્ક લો પ્રેશરના કારણે ગુજરાત પર અસર થશે અને ભારે વરસાદ તૂટી પડશે.
NEXT PREV
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસુ બરાબર જામ્યું છે અને એકધારા વરસાદથી લોકો ખુશ છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં 3 દિવસ વરસાદથી લોકોને રાહત મળશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હવે ત્રણ દિવસ વરસાદ નહીં પડે પણ 3 દિવસ બાદ પુનઃ વરસાદનું વધશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, 29 ઓગસ્ટના રોજ ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદ પડશે અને આ બે વિસ્તારો પર ખતરો છે. બંગાળની ખાડીમાં ઉદભવેલા વેલમાર્ક લો પ્રેશરના કારણે ગુજરાત પર અસર થશે અને ભારે વરસાદ તૂટી પડશે. રાજ્યમાં અત્યાર સુધી 108 ટકા વરસાદ નોંધાયો છે પણ હદુ વરસાદની આગાહી હોવાથી આ પ્રમાણ વધશે.