પોલીસ ફરિયાદ મુજબ, ફરિયાદીનો 15 વર્ષીય પુત્ર વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં સુવ્રત સ્વામીના પાર્ષદ તરીકે રહીને વડતાલ લક્ષ્મીનારાયણ સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ કરતો હતો.
સુવ્રત સ્વામિએ ફરિયાદીના સગીર પુત્રને ગુરૂની સેવા કરવી તથા ગુરૂની આજ્ઞાનું પાલન કરવું તેમ જણાવી તેની પાસે જુદા-જુદા કામો કરાવી તેમજ પગ દબાવડાવી અને સગીર પર દાનત બગાડી તેની મરજી વિરૂદ્ધ સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય આચરી તેમજ ઋષિકેશ લઈ જઈ ત્રણ મહિના દરમિયાન સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય કરીને ધમકીઓ આપી હતી.
ફરિયાદી તથા તેના પુત્રને સેવકો દ્વારા જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. તેમજ બીજા બે કિશોરો સાથે પણ સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય આચરી અને ફરિયાદીના સગીર પુત્રને આરોપી દેવ સ્વામી ગુરૂ નિલકંઠ તેમજ સંત વલ્લભ સ્વામિએ સુવ્રત સ્વામિએ કરેલા કૃત્ય બાબતે વાત કરતાં બન્નેએ એકદમ ઉશ્કેરાઈ ગમે તેમ બોલી સુવ્રત સ્વામિને મદદ કરી હતી.