ગાંધીનગર: દશામાની મૂર્તિ વિસર્જન સમયે ગાંધીનગર સાબરમતીમાં પાંચ લોકો ડૂબી જતાં હડકંપ મચી ગઇ. દશામાનું વ્રત પૂર્ણ થતાં ભક્તો દશામાની મૂર્તિનું સાબરમતી નદીમાં વિસર્જન કરવા માટે આવ્યા હતા. આ સમયે નદીની મજધારે પહોંચી જતાં અને મૂર્તિનું વિસર્જન વિધિ કરતી વખતે પાણી વધુ હોવાથી પાંચ લોકો ડૂબી ગયા છે. જેમાંથી 2 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જ્યારે 2 મહિલા અને 1 પૂરૂષનું મોત થયું છે. ઘટનાના જાણ થતાં તાબડતોબ ફાયર ટીમ ધટનાસ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. લાપતા લોકોની શોધખોલ શરૂ કરી છે.
ગાંધીનગરમાં દશામાંની મૂર્તિ વિસર્જન દરમિયાન સાબરમતીમાં પાંચ ડૂબ્યાં, 3નાં મૃત્યુ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 14 Aug 2024 10:00 AM (IST)
દશામાના મૂર્તિ વિસર્જન સમયે પાંચ લોકોના મોત થયાં છે. સાબરમતી નદીમાં ડૂબી જતાં વિસર્જનનો પ્રસંગ માતમમાં બદલાય ગયો
પ્રતીકાત્મક તસવીર