ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા ચાર કેસ નોંધાયા હતા. જેમાં બનાસકાંઠાના ધાનેરા અને લાખણીમાં એક-એક કેસ નોંધાયો હતો. જ્યારે અમદાવાદમાં એક અને સુરતમાં એક કેસ નોંધાયો હતો. લાંબા સમય બાદ રાજ્યમાં કોરોનાના કેસ નોંધાયા હતા.


તે સિવાય કોરોનાના કારણે બે લોકોના મોત થયા હતા. બનાસકાંઠાના થરાદમાં એક અને ધાનેરામાં એક વ્યક્તિનું કોરોનાના કારણે મોત થયુ હતું.


Ahmedabad: આજથી વિશ્વ ઉમિયાધામ પ્રીમિયર લીગનો શુભારંભ, 5 હજાર ખેલાડીઓ લેશે ભાગ


અમદાવાદ: આજે વિશ્વ ઉમિયાધામ પ્રીમિયર લીગનો શુભારંભ થશે. જેમાં 5000 ખેલાડીઓ ભાગ લેશે. વિશ્વના કરોડો પાટીદારોના આસ્થાના કેન્દ્રસમા વિશ્વ ઉમિયાધામ ખાતે આજે વિશ્વ ઉમિયાધામ પ્રીમિયર લિગનો શુભારંભ થવા જઈ રહ્યો છે. વિશ્વ ઉમિયાધામ પ્રીમિયર લિગમાં રાજ્યભરમાં પાટીદાર સમાજના 5000થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. 


વિશ્વ ઉમિયાધામ પ્રીમિયર લીગમાં ક્રિકેટની 64 અને વોલીબોલની 200થી વધુ ટીમ ભાગ લેશે. રાજ્યના વિવિધ જિલ્લામાંથી હજારો ખેલાડીઓ ભાગ લઈ રમતોત્સવમાં નવો રંગ પુરશે. 20થી વધુ દિવસ ચાલનારા વિશ્વ ઉમિયાધામ પ્રીમિયર લીગના તમામ વિજેતા ટીમોને ખુબ મોટા બહુમાન સાથે સમાપન સમારોહનું આયોજન કરાયુ છે. જગત જનની મા ઉમિયાનું વિશ્વનું સૌથી ઊંચું 504 ફૂટ મંદિર જ્યાં નિર્માણ થઈ રહ્યું છે તે વિશ્વ ઉમિયાધામ પરિષરમાં જ હજારો પાટીદાર ખેલાડીઓ રમશે. આ સાથે જ મહિલા ખેલાડીઓ માટે છથી વધુ રમતોનું આયોજન કરાયું છે. જેમાં ઉભી ખો, ડોઝ બોલ, રસ્સા ખેંચ, ભારત ભ્રમણ, સાતોલીયું, વોટર રિપ્લે રેસ ગેમ જેવી રમતોનું આયોજન કરાયું છે. આજે અહીં સંગઠનની બેઠક પણ યોજાઈ જેમાં લોકો આધ્યાત્મક ભાવ સાથે જોડાય તે માટે મહિલા અને યુવા સંગઠન દ્વારા બેઠક થઈ.


સીએમ ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા ખોડલધામ


મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ખોડલધામ મંદિર પહોંચ્યા છે. થોડીવારમાં મુખ્યમંત્રી મંદિર ખાતે ધ્વજારોહણ કરશે. આ ઉપરાંત રાજ્યના સરકારના મંત્રીઓ પણ ઉપસ્થિત છે. ખેડૂત અને સહકારી આગેવાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. તમમે જણાવી દઈએ કે, કાગવડના ખોડલધામ ટ્રસ્ટનો 7માં વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે. અનાર પટેલ સહિત નવા 40થી વધુ ટ્રસ્ટીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. નિરમા ગ્રુપના કરશન પટેલ, કેડીલા ગ્રુપના માલીક, બિપિન પટેલ, કાળુભાઈ મોહનભાઇ ઝાલાવડીયા પણ જોડાશે.. આજે નવા પ્રકલ્પો લેવામાં આવશે. રાજકોટ નજીક આવેલ અમરેલી ગામ ખાતે શૈક્ષણિક શંકુલ અને આરોગ્ય ભવન બનાવવામાં આવશે.


ધારાસભ્ય અને ટ્રસ્ટી રમેશ ટીલારા, પૂર્વ મંત્રી અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા, પૂર્વ ધારાસભ્ય અરવિંદ રૈયાણી, જગદીશ ડોબરીયા, અલ્પેશ કથીરીયા, ધાર્મિક માલવીયા સહિતના પાટીદાર આગેવાનો ઉપસ્થિત છે. નવા ટ્રસ્ટીમાં આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલ, નિરમા ગ્રુપના કરશન પટેલ,  કેડિલા ગ્રુપ સહિત 50 નવા ટ્રસ્ટીઓ જોડાશે. આ અંગે અનાર પટેલે કહ્યું કે, મારા માટે ગૌરવની વાત છે. ખોડલધામ એજ્યુકેશન માટે સૌથી વધુ કામ કરે છે