Gujarat Congress Nyay Yatra Live: કોંગ્રેસની ન્યાય યાત્રાને બીજો ઝટકો, ગેમઝોન અગ્નિકાંડના 17 પીડિત પરિવાર યાત્રામાં નહીં જોડાય

ગુજરાતમાં કોંગ્રેસ આજથી ન્યાય યાત્રા કાઢી રહ્યું છે, આજથી ગુજરાતમાં કોંગ્રેસની ન્યાય યાત્રાનો પ્રારંભ મોરબીથી થયો છે

gujarati.abplive.com Last Updated: 09 Aug 2024 02:56 PM

બ્રેકગ્રાઉન્ડ

Congress Nyay Yatra: આજથી ગુજરાતમાં રાજકીય ધમાસાન શરૂ થઇ ગયુ છે, ગુજરાતમાં કોંગ્રેસ આજથી ન્યાય યાત્રા કાઢી રહ્યું છે, આજથી ગુજરાતમાં કોંગ્રેસની ન્યાય યાત્રાનો પ્રારંભ મોરબીથી થયો છે. રાજ્યમાં અલગ અલગ...More

જીગ્નેશ મેવાણીએ ભાજપ પર કર્યા પ્રહાર

મોરબીથી કોંગ્રેસની ન્યાય યાત્રા દરમિયાન ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ એબીપી અસ્મિતા સાથે વાત કરી હતી. મેવાણીએ કહ્યું હતું કે ભાજપનો પાપનો ઘડો ભરાઈ ગયો છે. રાજકોટથી તેઓ યાત્રા કાઢવાના છે ત્યારે તેમને ભગવાન સદબુદ્ધિ આપે. યાત્રા ગાંધીનગર પહોંચશે ત્યાં સુધીમાં પાપનો ઘડો ભરાઈ જશે..