Weather: ચોમાસા હાલ ધીરે ધીરે આગળ વધી રહ્યું  છે. આંઘ્રપ્રદેશ, તમિલનાડુ સહિતના દક્ષિણ ભારતના વિસ્તારમાં ચોમાસું પહોંચી ગયું છે. જો કે ગુજરાતમાં હજુ પણ કાળઝાળ ગરમી પડી રહી છે. મોટાભાગના શહેરોનું તાપમાન 40ની ઉપર પહોંચ્યું છે. ત્યારે આકરી ગરમીથી પરેશાન લોકો હવે વરસાદની રાહ જોઇ રહયાં છે તે સ્વાભાવિક છે. ચોમાસાની વાત કરીએ તો ચોમાસું મહારાષ્ટ્રના કેટલાક ભાગમાં પહોંચી ગયું છે. 15 જૂન બાદ સમગ્ર  મહારાષ્ટ્રે ચોમાસું આવરી લે તેવો અનુમાન હવામાન વિભાગે કર્યો છે. ગુજરાતમાં ચોમાસાની આ વર્ષે એન્ટ્રી 20 જૂનની આસપાસ થાય તેવું અનુમાન હવામાન વિભાગે કર્યું છે. 

Continues below advertisement

રાજ્યમાં હાલ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં છૂટછવાયો વરસાદ વરસી રહ્યો છે. આ સ્થિતિ હજુ 2થી3 દિવસ રહેશે. 18 જૂનની આસપાસ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસી  શકે છે.  15 જૂન બાદ સૌરાષ્ટ્રના કેટલા જિલ્લામાં વરસાદનું આગમન થઇ શકે છે. જેમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરનો સમાવેશ થાય છે. 

Continues below advertisement

ઉલ્લેખનિય છે કે, અરબ સમુદ્રની બ્રાન્ચ તેની ગતિએ આગળ વધતા કેરળ, તમિલનાડુ, તેલંગણા, આંધ્રપ્રદેશમાં ચોમાસુ પૂરજોશમાં જામ્યુ છે પરંતુ બંગાળની બ્રાન્ચ જે ગુજરાતમાં વરસાદ લાવે છે તે હજુ એક્ટિવ નથી જેના કારણે ગુજરાતને હજુ 20 જૂન સુધી વરસાદની રાહ જોવી પડશે. હવામાન વિભાગે 20 જૂનની આસપાસ ચોમાસાના વરસાદની આગાહી કરી છે. જેથી 23ની આસપાસ દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે આ સમય દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે ભારે વરસાદ પણ વરસી શકે છે. 25 જૂન બાદ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને ચોમાસું આવરી લેશે. આ સમય દરમિયાન મધ્ય ગુજરાતના જિલ્લા અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું અનુમાન છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં આ સમય દરમિયાન મધ્ય અને સૌરાષ્ટ્ર પૂર્વ ગુજરાતની તુલનામાં ઓછો વરસાદ પડી તેવી શક્યતા જોવાઇ રહી છે. 

આ પણ વાંચો: Junagadh: "તેં સોપારી કેમ ખાધી?" કહીને પતિએ પત્ની પર કર્યો હુમલો, પત્નીનું સારવાર દરમિયાન મોત 

ગુજરાતમાં કેવું રહેશે ચોમાસું?

ગુજરાતમાં 2026નું ચોમાસું સામાન્યથી સારું રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જૂનાગઢ ખાતે યોજાયેલા વરસાદ વિજ્ઞાન સેમિનારમાં 45 આગાહીકારોએ 10થી 12 આની (સામાન્યથી સારો) વરસાદ થવાની શક્યતા દર્શાવી છે અને બે તબક્કામાં સારી વાવણીની સ્થિતિ બની શકે તેવી આગાહી કરી છે. 

નોંધનિય છે કે આ વર્ષે અલ નીનો અસરના કારણે ચોમાસું થોડું નબળું રહી શકે છે પરંતુ હવામાન નિષ્ણાંતના મત મુજબ વધુ ચિંતા કરવાની જરૂર નથી કારણે ચોમાસાની શરૂઆતના બે મહિના રાજ્યમાં સારો અને વાવણી લાયક વરસાદ વરસી શકે છે. અલ નીનોની અસરના કારણે બની શકે છે ઓગસ્ટમાં વરસાદની જોર ઘટી જાય. આ અલ નીનોની અસરના કારણે બની શકે કે કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડે અને કેટલાક જિલ્લાને વરસાદ માટે તરસવું પડે.